બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Jain Muni Vijay Hansratnasuri completes 180 days fast, Salman Khan arrives to meet

મનોરંજન / સલમાન ખાન મળ્યો જૈન મુનિને, સળંગ 180 દિવસ ઉપવાસ કરનાર એકમાત્ર જૈન મુનિ

Megha

Last Updated: 02:10 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પંહોચ્યા હતા.

  • સલમાન ખાને કરી જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નસુરિ સાથે મુલાકાત 
  • હંસરત્નસુરિ 180 દિવસના ઉપવાસ પર હતા
  • બિગ બોસ સહિત આ ફિલ્મોમાં નજર આવશે સલમાન ખાન 

બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનની ઈમેજ હંમેશા એક દિલદાર વ્યક્તિ તરીકે રહી છે. આવું એટલા કે તેઓ માણસાઈને  સમર્થન આપવાની એક પણ તક ગુમાવતા નથી. અત્યાર સુધી સલમાન ખાનની ઉદારતાના ઘણા ઉદાહરણો આપણે બધા એ જોયા જ હશે અને હાલ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. હાલમાં જ સલમાન ખાન જૈન સાધુ આચાર્ય વિજય હંસરત્નાસુરિને તેમના 180 દિવસના ઉપવાસ બાદ મળવા પંહોચ્યા હતા. 

સલમાને કરી આચાર્ય સાથે મુલાકાત 
આચાર્ય વિજય હંસરત્નસૂરિ એક ઘણા જાણીતા જૈન આચાર્ય છે.  સલમાન એમના 180 દિવસના ઉપવાસ પૂર્ણ થયા પછી તેને મળવા ગયા હતા. તમને જણાવી દઈએ કે આચાર્ય વિજય હંસરત્નસુરિ 180 દિવસના ઉપવાસ પર હતા. આવો ઉપવાસ એમને છઠ્ઠી વખત કર્યો છે. તેમના ફોલોવર્સનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન સલમાન ખાનને આચાર્ય એ જૈન ધર્મના વિવિધ પાસાઓ અને વિધિઓ વિશે પણ જણાવ્યું હતું. 

180 દિવસનો ઉપવાસ 
રિપોર્ટ અનુસાર આચાર્ય વિજય હંસરત્નસુરિએ રવિવારના દિવસે તેમના 180 દિવસના નિરંતર ઉપવાસને પૂરો કર્યો હતો. આ ઉપવાસના પુરન કર્યાની સાથે જ તેઓ એકમાત્ર એવા જૈન સાધુ બન્યા છે જેમના આ મેરેથોન ફાસ્ટીંગને પૂરું કર્યું છે. તેમના અનુયાયીઓના જણાવ્યા અનુસાર આચાર્ય હંસરત્નસુરિ તેમના જીવનના છેલ્લા બે દાયકામાં સાધુ તરીકે કુલ 12 વર્ષ ઉપવાસ કર્યા છે.

બિગ બોસ સહિત આ ફિલ્મોમાં નજર આવશે સલમાન ખાન 
હાલ સલમાન ખાન બિગ બોસ 16ને લઈને ચર્ચામાં છે. શોનો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શોમાં સલમાન ફરી એકવાર હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સલમાન ખાન મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, આ સિવાય સલમાન ખાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં કામ કરી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ