નાપાક પાકિસ્તાન અને તેના પાલતુઓ ફરી પોતાની ઓકાત બતાવવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ IED અને અન્ય વિસ્ફોટક હથિયારો સાથે LOC પાર સક્રિય છે અને પ્રજાસત્તાક દિવસ પહેલા ઘાટીમાં આત્મઘાતી હુમલાની ફિરાકમાં છે.
એવી પણ માહિતી છે કે આતંકીઓ સેનાની ચોકીઓને નિશાન બનાવી જવાનો પર ફાયરિંગ પણ કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ બાદ હાલ સુરક્ષાદળોને અલર્ટ કરાયા છે. તો ઘાટીમાં સેના અને પોલીસ દળની અંદાજીત 500 કંપનીઓ પણ તૈનાત છે.
ખુફિયા માહિતી પ્રમાણે LoC પાર પણ 300થી વધુ આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. તો ઘાટીમાં પણ કેટલાક જૈશના આતંકીઓ સક્રીય છે. જેને પગલે હાઈ અલર્ટ જાહેર કરાયું છે. મહત્વનું છે કે આતંકીઓના સફાયા માટે સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે.
ઓપરેશન ઓલઆઉટમાં અત્યાર સુધીમાં 260 જેટલા નાપાક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તો પાક સેનાને પણ તેની ઔકાત ભારત બતાવી ચૂક્યું છે પરંતુ નાપાક પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને આતંકીઓનો સહારો લઈ ભારતમાં હુમલા કરાવવાની કોશિશ કરી રહ્યુ છે.