નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને પણ પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામના નારાને લઇને ચાલી રહેલા વિવાદમાં નિવેદન આપ્યું છે. કોલકતામાં જાદવપુર વિશ્વવિદ્યાલયમાં ગઇકાલે અમર્ત્ય સેને જણાવ્યું કે જય શ્રી રામનો નારા (Slogan)નો ઉપયોગ હવે લોકો સાથે મારપીટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા અમર્ત્ય સેને કહ્યું કે તેમના વિચાર જય શ્રી રામના નારાનું બંગાળની સંસ્કૃતિ સાથે કોઇપણ પ્રકારનું લેવા દેવું નથી. અમર્ત્ય સેને કહ્યું કે આજકાલ કોલકાતામાં રામનવમી સૌથી વધારે મનાવામાં આવી રહી છે, જે તેમને પહેલા જોવા મળતી નહોતી.
Nobel laureate Amartya Sen: I asked my four-year-old grandchild who is your favourite deity? She replied, 'Maa Durga'. The significance of Maa Durga can't be compared with Ram Navami. (July 5) https://t.co/pnXqrNNjTi
નોબેલ પારિતોષક વિજેતા અમર્ત્ય સેને કહ્યું કે જય શ્રી રામનો નારો હવે લોકો સાથે મારપીટ કરવાના બહાના હેઠળ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક મહિનાથી જય શ્રી રામના નારો રાજકીય રંગ પકડી રહ્યો છે.
રાજ્યમાં સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપના લોકો ધુવ્રીકરણ કરવા તેમજ સાંપ્રદાયિક વેરઝેર ફેલાવવા માટે આ નારાનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીથી લઇને અત્યાર સુધી ભાજપની દરેક રેલીઓમાં જય શ્રી રામના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે.
આમ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થ શાસ્ત્રી અમર્ત્ય સેને જણાવ્યું હતું કે માં દૂર્ગાથી વિરુધ્ધ, જય શ્રી રામનો નારો બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી. આ સૂત્રોચ્ચાર માત્ર ને માત્ર લોકો સાથે મારપીટ કરવા માટે ઉપયોગ લેવામાં આવી રહ્યો છે.