અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. ત્યારે હવે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નિજમંદિરથી રથમાં પહોંચ્યા હતા.
CM વિજય રૂપાણી DY CM નીતિન પટેલ ભીખુ દલસાણિયા સહ-સંગઠન મંત્રી વી.સતિષ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ મંદિર પહોંચ્યા હતા. ત્યાર બાદ સીએમ રૂપાણી દ્વારા પહિંદવિધી કરવામાં આવી હતી. ત્યાર બાદ વિધિવત્ રથોનું પ્રસ્થાન કરવાયું હતું. ત્યારે મંદિર પટાંગણ ઢોગ-નગારાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મહત્વનું છે કે ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે. જ્યારે બલરામજીના રથનું નામ તાલ ધ્વજ છે. સુભદ્રાજીના રથને પદ્માધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. રથયાત્રામાં સૌથી પહેલા આગળ મોટાભાઇ બલદેવ વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે જગન્નાથજીની સવારી હોય છે.
આજે ભગવાની જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે. ત્યારે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 25 હજાર જેટલા પોલીસના જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
મોસાળમાં તૈયારી શરૂ કરવામાં આવી
ત્યારે રથયાત્રા મોસાળમાં સરસપુર ખાતે પહોંચશે. જેના ભાગરૂપે સરસપુરમાં તૈયારીઓ કરવામાં આવી છે. સરસપુરમાં મોસાળ ખાતે જમવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ડાંસ પણ કરવામાં આવશે. અલગ અલગ મંડલીઓ દ્વારા ડાંસ કરવામાં આવશે. ત્યારે સવારે મંદિરમાં આરતીના સમયે પણ મંડલીઓ દ્વારા ડાંસ કરવામાં આવ્યો.