મોટાભાગના ઘરોમાં જીરાનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોતાની સુંગધ અને સ્વાદથી જીરૂ શાકમાં સ્વાદમાં ચાંર ચાંદ લગાવી દે છે. ગોળનો ઉયપોગ નેચરલ સ્વીટનર તરીકે ઉપયોગમાં આવે છે.
આર્યુવેદમાં અનેક બિમારીઓની ઉપચાર માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ બંનેનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો પરિણામ બમણું મળતુ થઇ જાય છે.
જીરાનું પાણી અને ગોળની ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.
- ગોળ અને જીરાનું પાણી શરીરની લોહીની ઉણપ દૂર કરે છે. તેને કારણે એનિમિયાની ખતરો ઘટી જાય છે.
- ગોળ અને જીરાનું પાણી માથાના દુખાવામાં રામબાણ ઇલાજ પુરવાર થાય છે.
- એક શોધ અનુસાર, ગોળ અને જીરાનું પાણી પીવાથી તાવમાં પણ રાહત મળે છે.
- ગોળ અને જીરાના પાણીમાં એક એવા ગુણો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
- આ બંનેના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
- ગોળ અને જીરાનું પાણી પીવાથી પીરિયડ્સમાં થનારી સમસ્યામાં રાહત અપાવે છે.
- ગોળ અને જીરાનું મિશ્રણ બેકની પેઇનની સમસ્યામાં પણ આરામ અપાવે છે.
અનેક સમસ્યા માટેના રામબાણ ઇલાજ તરીકે વપરાતા જીરા-ગોળનું પાણી બનાવવાની રીત નોંધી લો...
- મિડિયમ તાપ પર એક વાસણમાં 2 કપ પાણી નાંખી દો.
- તેમાં એક ચમચી છીણેલો ગોળ અને એક ચમચી જીરું મિક્સ કરીને વ્યવસ્થિત રીતે ઉકાળી લો.
- પાણી ઉકળીને અડધુ થાય એટલે ગેસ બંધ કરી દો અને ગાળીને એક કપમાં કાઢી લો અને પીઓ.