લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે કરી પીડિત પરિવારની મુલાકાત, પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવવા કરી માગ
કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે કરી પીડિત પરિવારની મુલાકાત
જગદીશ ઠાકોર- સુખરામ રાઠવા રોજિદ ગામે પહોંચ્યા હતા
નનામીને કાંધ આપીને પરિવારને આપી સાંત્વના
ગુજરાત બોટાદમાં કેમિકલ કાંડમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા. ધંધુકા, બરવાળા, ઊંચડી, અણિયારી, આકરુ, ચદરવા સહિતના ગામોમાં કેમિકલકાંડને લઇને લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધારે 9 મોત રોજિદ ગામે થયા. તો ઘટનાને પગલે આ તરફ રાજકારણ પણ ગરમાયુ. વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો પીડિત પરિવારને સંવેદના આપવા પહોંચ્યા હતા.
જગદીશ ઠાકોર- સુખરામ રાઠવાએ નનામીને કાંધ આપી
વાત કરીએ ગુજરાત કોંગ્રેસની તો, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા રોજિદ ગામે પહોંચ્યા હતા. જ્યાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવી. આ સાથે જ બોટાદ કોંગ્રેસના કાર્યકરો પણ આ ગમગીન ઘટનામાં સહભાગી થયા હતા. જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતાએ નનામીને કાંધ આપી. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે તથા આ મામલે યોગ્ય તપાસની માગ કરી.
જગદીશ ઠાકોરે મૃતકને આપી કાંધ, પરિવાર સાથે પણ કરશે મુલાકાત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 26, 2022
દારુ વેચનારને ડ્રોનથી કેમ નથી પકડતા- જગદીશ ઠાકોર
તો ઘટનાને પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર સામે મોટા આક્ષેપો કર્યા. તેઓએ કહ્યું કે ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે છે, કોરોનામાં સોસાયટીની બહાર બેસતા લોકોને ડ્રોનથી પકડતા હતા, હવે ક્યાં છે ડ્રોન? દારૂ વેચનારને ડ્રોનથી કેમ નથી પકડતા ? હું પુરાવા આપવા તૈયાર છું. સાથે જ પોલીસ અને રાજકીય લોકો પર પણ આક્ષેપો કરતા જણાવ્યું કે 30 ટકા રાજકીય લોકો,30 ટકા પોલીસ અને બુટલેગરોની ભાગીદારીથી દારૂ વેચાય છે
તંત્રની દેખરેખ હેઠળ બધું ચાલી રહ્યું છે- ખેડાવાલા
તો આ તરફ કેમિકલકાંડ મામલે ભાવનગરમાં સારવાર લઇને રહેલા દર્દીઓની તબિયત પૂછવા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ કાર્યકરો સાથે પહોંચ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના નેતા અને ધારાસભ્યોએ પણ આ અંગે સરકાર પર આક્ષેપો કરવાનો મોકો છો઼ડ્યો ન હતો.
કોંગ્રેસના નેતા બિમલ શાહે જણાવ્યું કે તાત્કાલિક સરકારે આ મામલે તાકીદ કરવી જોઇએ. ગુજરાતમાં ડ્રગ્સનુ પ્રમાણ વધી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે દેશી દારૂની હાટડીઓ અને ઠેકા તંત્રની દેખરેખ હેઠળ જ ચાલી રહ્યા છે. સરકારે ખરેખર આ અંગે વિચારવુ જોઇએ