ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યું અને ધ્વજવંદન કર્યા બાદ તેમણે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ ભવન ખાતે જગદીશ ઠાકોરે કર્યું ધ્વજવંદન
ધ્વજવંદન કરીને ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર
આજે પ્રજા માલિક હોય તેવું જરા પણ નથી લાગતું: જગદીશ ઠાકોર
દેશભરમાં આજે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમા લોકોએ આજે આનંદ અને ઉત્સાહ સાથે આજે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ પણ લીધો હતો. ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસ ભવન ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓએ આપી હાજરી
કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જ્યા જગદીશ ઠાકોરે ધ્વજવંદન કર્યું અને બાદમાં તેમણે ગુજરાતની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
યુવનો અને બહેનો આજે આઝાદ નથી: જગદીશ ઠાકોર
ધ્વજવંદન કર્યા બાદ જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશના બંધારણની માલિક અને સરકારની માલિક પણ પ્રજા છે. પરંતુ આજે સમય એવો આવ્યો છે કે પ્રજા માલિક હોય તેવું જરા પણ દેખાઈ નથી રહ્યું. સાથેજ તેમણે કહ્યું કે આજે યુવાનો અને બહેનો પણ આઝાદ નથી અને વેપારીઓ તેમજ ખેડૂતો પણ આજે આઝાદ નથી.
આપણે આઝાદ થઈએ તેના પ્રયાસ કરીએ: જગદીશ ઠાકોર
ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના રોજ જગદીશ ઠાકોરે એવું પણ કહ્યું હતું કે બંધારણની માલિક પણ પ્રજા હોવી જોઈએ સાથેજ સરકારની માલિક પણ પ્રજાજ હોવી જોઈએ પરંતુ તેવું નથી. આટલું કહ્યા બાદ તેમણે કોંગ્રેસ કાર્યાલયથી સંદેશો આપ્યો કે આપણે આઝાદ થઈએ તેવા પ્રયાસો આપણે કરવાના છે.