ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને સસ્પેન્ડ કરવા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, લોકોને નોટિસ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસમાં નેતાઓને સસ્પેન્ડ કરવા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન
'પક્ષ વિરોધી કામ કરનાર લોકો ભાજપ કાર્યાલય બેઠા હોય છે'
'લોકોને નોટિસ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે ગઈકાલે ચાર નેતાઓને સસ્પેન્ડ કર્યા હતાં. જે મુદ્દે પ્રેદશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અશિસ્ત લોકો સામે આ કાર્યવાહી થઈ છે: જગદીશ ઠાકોર
કોંગ્રેસના નેતાઓને સસ્પેન્ડ કરવા મામલે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, શિસ્ત સમિતિના ચેરમન આ અંગે ચર્ચા કરશે અને પક્ષ વિરોધી કામ કરનાર લોકોની વાત કરવામાં આવે તો તે ભાજપ કાર્યાલય બેઠા હોય છે. તેમણે કહ્યું કે, જાહેર સભા કરવામાં આવી હોય તે લોકોને નોટિસ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નિરકુંશ અને અશિસ્ત લોકો સામે આ કાર્યવાહી થઈ છે અને આવી કાર્યવાહીથી કાર્યકરો ખુશ પણ છે.
પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી ગઈકાલે સસ્પેન્ડ કરાઈ
અમદાવાદ કોંગ્રેસ સેવા દળની પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ પ્રવક્તા પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી ગઈકાલે સસ્પેન્ડ કરાઈ છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 4 નેતાઓને કોંગ્રેસે ઘરનો રસ્તો બતાવ્યો.
ગઈકાલે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો
વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલ્યો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં પ્રગતિ આહિર સહિતના ચાર નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં હતા. જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
અગાઉ સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખને કરાયા હતા સસ્પેન્ડ
કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
'માત્ર ચર્ચાઓ નહી કરીએ કામ કરીશું'
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમા હાથ સે હાથ જોડો કાર્યક્રમ શરૂ કરાશે અને તાલુક કક્ષાએ બે દિવસનો કાર્યક્રમ પણ શરૂ કરાશે. લોકસભાની તૈયારી કોંગ્રેસે શરૂ કરી છે તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામ સંદર્ભે સમીક્ષા ચાલી રહી છે રિપોર્ટ કેન્દ્રને મુકાયા બાદ નિર્ણય થશે તેમણે કહ્યું કે, માત્ર ચર્ચાઓ નહી કરીએ કામ કરીશું અને કોંગ્રેસમાં કાર્યકરથી નેતૃત્વ ચાલે છે.