ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ખુલ્લુ આમંત્રણ આપતા કહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સ્વાગત છે.
નરેશ પટેલ અંગે જગદીશ ઠાકોરનું નિવેદન
નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સ્વાગત છે-જગદીશ ઠાકોર
ચૂંટાયા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય કરીશું- જગદીશ ઠાકોર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં યોજાનાર છે ત્યારે નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળે છે ત્યારે નરેશ પટેલને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીમાં પણ હલચલ જોવા મળતી હોય છે એવામાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત છે તેવું નિવેદન આપતા ફરી રાજકીય ગલીયોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવ્યા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય કરીશું કોંગ્રેસમાં જોડાવ તો આપનું સ્વાગત છે.
નરેશ પટેલ અંગે જગદીશ ઠાકોરનું નિવેદન
પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અગાઉ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત થઈ હતી. જેમાં મધ્યસ્થી તરીકે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં નરેશ પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે નિકટના સંબંધો ધરાવે છે 2017માં પણ તેમને ગુજરાતની સક્રિય રાજનીતિમાં લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.
કોંગ્રેસમાં આવે તો સ્વાગત છે-જગદીશ ઠાકોર
પાટીદાર આગેવાન નરેશ પટેલે અગાઉ રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ખોડલધામ ચિંતા કરે છે.
અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?
ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.
અગાઉ પાટીલે પણ કરી હતી મુલાકાત
થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાં વધી રહેલા જૂથવાદને ખતમ કરવા માટે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા..આ દરમિયાન તેમણે ખોડલખામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.. જે બાદ પાટીદારોને મનાવવાના પ્રયાસો થતા હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.. અને ભાજપે પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી વધુ એક વખત રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. અહીં આપણે એવાત પણ ન ભૂલી શકીએ કો, ગત ઓગસ્ટ મહિનામાં ખોડલધામથી એવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય અને ત્રણ જ મહિનામાં તેની અસર જોવા મળી પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની ગયો ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખનું નિવેદન કેટલું સુચક બની રહે છે.