કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે VTVએ ખાસ વાતચીત કરી.
જગદીશ ઠાકોર સાથે VTVની ખાસ વાતચીત
"2022માં કોંગ્રેસ સરકાર બનાવશે"
"ગુજરાતમાં ભાજપની છાપ ખરડાઇ ચૂકી છે"
જગદીશ ઠાકોરે કહ્યું કે, 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે. અમે આગામી ચૂંટણીઓને લઇ પ્લાનિંગ કર્યુ છે.બુથ લેવલનું પણ પ્લાનિંગ કરી રહ્યાં છીએ. મે ગુજરાતમાં 149 સીટો જીતનારી કોંગ્રેસને પણ જોઇ છે. બેરોજગારી, મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપનો ભુક્કો બોલાવીશું.
કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આગામી 10-15 દિવસમાં લોકોને કોંગ્રેસનું કામ દેખાશે. કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી. રાહુલ ગાંધી સાથે મારી મુલાકાત અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે જરૂર પડે ત્યારે ગુજરાત માટે હાજર છું. આગામી 1 મહિનામાં ખબર પડશે કે કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે.
અલ્પેશ ઠાકોર માટે લાલ જાજમ
જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ મામલે કહ્યું કે, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ અમારો મુખ્ય ચેહરો છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડાવવા જગદીશ ઠાકોરે આમંત્રણ આપ્યું છે. અલ્પેશ ઠાકોરમાં માટે કોંગ્રેસમાં લાલ જાજમ તૈયાર છે.
શંકરસિંહ વાઘેલાની વાપસી મુદ્દે પણ આપ્યું નિવેદન
જ્યારે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા હાઇકમાન્ડ સાથે પણ ચર્ચા કરીશું. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપની છાપ ખરડાઇ ચૂકી છે એટલા માટે મંત્રીમંડળ બદલ્યુ. માથા બદલવાથી ભાજપ 182 સીટ જીતી શકશે નહીં. 2022માં ભાજપની હાર નિશ્ચિત છે.
જગદીશ ઠાકોર સામે કયા પડકાર?
પ્રજાની નાળ પારખીને કોંગ્રેસનું નવ સર્જન કરવું
કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી
કોંગ્રેસમાં સિનિયર નેતાઓને સાથે લઇને ચાલવું
2022માં કોંગ્રેસની નવી સરકાર બનાવવી
11 મહિનાના જેવા ટૂંકા સમયમાં રાજ્યમાં કોંગ્રેસનો ઝાંઝવાત ઉભો કરવો
કોંગ્રેસનું નવું માળખું તત્કાલ ઉભું કરી કામની વહેચણી કરવી
પ્રજાની નાડ પારખીને કોંગ્રેસનું નવ સર્જન કરવું
કોણ છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા
નોંધનીય છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.