મહિનાઓ સુધી ચાલેલી મથામણનો આખરે અંત આવ્યો છે અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સામે શું છે પડકારો?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર
જાતિગત સમીકરણોને ધ્યાને રાખી હાઇ કમાન્ડે કર્યો નિર્ણય
જગદીશ ઠાકોર સામે અનેક પડકારો
રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકરોનની સત્તાવાર જાહેરાત કરી છે.જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે આ નિર્ણય કર્યો છે.
ચૂંટણી ન લડવાની શરતે જ સોંપાઈ જવાબદારી
જો કે, જગદીશ ટાકોર આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે અને આ ચૂંટણી ન લડવાની શરતે જ આ જવાબદારી સોંપવામાં આવી છે.જગદીશ ઠાકોર સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરશે. પ્રદેશ પ્રમુખ સંગઠનનું જ કામ કરશે. રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થઈ હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યા નવા પ્રમુખ સામે કેવા પડકારો છે, તે જાણવા જરૂરી છે.
જગદીશ ઠાકોર સામે કયા પડકાર?
પ્રજાની નાળ પારખીને કોંગ્રેસનું નવ સર્જન કરવું
કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી
કોંગ્રેસમાં સિનિયર નેતાઓને સાથે લઇને ચાલવું
2022માં કોંગ્રેસની નવી સરકાર બનાવવી
11 મહિનાના જેવા ટૂંકા સમયમાં રાજ્યમાં કોંગ્રેસનો ઝાંઝવાત ઉભો કરવો
કોંગ્રેસનું નવું માળખું તત્કાલ ઉભું કરી કામની વહેચણી કરવી
પ્રજાની નાડ પારખીને કોંગ્રેસનું નવ સર્જન કરવું
કોણ છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા
નોંધનીય છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.