ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ તે અટકળોનો હવે અંત આવ્યો છે, આ મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે વાદ વિવાદમાં રહેલી કોંગ્રેસે ગુજરાતની જનતાની અપેક્ષા હતી તેનાથી અલગ નિર્ણય લીધો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર
નિમણૂક અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન
કોંગ્રેસની નિમણૂક એ તેમનો આંતરિક મામલો છે-વ્યાસ
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ તે અટકળોનો હવે અંત આવ્યો છે, છેલ્લા 6 મહિનાથી સતત એકબાદ એક રાજકીય બેઠકો અને મુલાકાતો બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવુ સુકાન મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામની જાહેર કરવામાં આવ્યું છે સાથે વિધાનસભામાં વિપક્ષ નેતાનું નામ પણ જાહેર કરાયું છે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ જાહેર કરાયું છે.
નિમણૂક અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન
આ મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે વાદ વિવાદમાં રહેલી કોંગ્રેસે ગુજરાતની જનતાની અપેક્ષા હતી તેનાથી અલગ નિર્ણય લીધો છે..કોંગ્રેસે ફરી એકવાર ઈતિહાસનું પુનરાગમ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ખામ થીયરીના આધારે રાજકીય રીતે જીવિત રહેવાના પ્રયાસ કરવો એ ઈતિહાસનું ફરીથી પુનરાવર્તન છે. કોંગ્રેસ ગમે એવા કોમવાદી પ્રયાસ કરે તેમ છતાં જનતા ભાજપની સાથે છે અને રહેશે તેવું ભાજપ તરફથી નિવેદન સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરની નિમણૂક મુદ્દે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક એ તેમનો આંતરિક મામલો છે કોંગ્રેસે ફરી એકવાર જ્ઞાતિગત સમીકરણોને પ્રાધાન્ય આપી રહી છે એ ઈતિહાસનું ફરીથી પુનરાવર્તન છે.
જગદીશ ઠાકોર નહીં લડે આગામી વિધાનસભાની ચૂંટણી
ગુજરાત કોંગ્રેસમાં મહિનાઓ સુધી ચાલેલી મથામણનો આખરે અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. આજે રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે કરી સત્તાવાર જાહેરાત કરી છે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે જગદીશ ઠાકોર આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે. અને આ ચૂંટણી ન લડવાની શરતે જ આ જવાબદારી સોંપવામાં આવી છે એવું પણ સુત્રો જણાવી રહ્યા છે. જગદીશ ઠાકોર સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરશે અને પ્રદેશ પ્રમુખ સંગઠનનું જ કામ કરશે. પ્રદેશ પ્રમુખ મુદ્દે રાહુલ ગાંધી સાથે આ મામલે ગંભીર ચર્ચા થયા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૂર્વે 2017માં પણ ભરતસિંહ પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા તે સમયે ભરતસિંહ પણ વિધાનસભા ચૂંટણી નહોતા લડ્યા ત્યારે હવે જગદીશ ઠાકોર 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે તે માત્ર સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે જોકે હવે ફરી એકવાર જગદીશ ઠાકોરે રાજનીતિમાં એન્ટ્રી કરી છે.
કોણ છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા
નોંધનીય છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.
જગદીશ ઠાકોર સામે કયા પડકાર?
પ્રજાની નાળ પારખીને કોંગ્રેસનું નવ સર્જન કરવું
કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી
કોંગ્રેસમાં સિનિયર નેતાઓને સાથે લઇને ચાલવું
2022માં કોંગ્રેસની નવી સરકાર બનાવવી
11 મહિનાના જેવા ટૂંકા સમયમાં રાજ્યમાં કોંગ્રેસનો ઝાંઝવાત ઉભો કરવો