દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના પૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર જગદીશ ખટ્ટરનું નિધન થયુ છે.
જગદીશ ખટ્ટરનું નિધન
મારુતિને નવી ઓળખાણ અપાવનારનું નિધન
હાર્ટ એટેકના કારણે થયુ અવસાન
હાર્ટ એેટેક આવવાના કારણે તેમનુ અવસાન થયુ છે અને તે 78 વર્ષના હતા. ખટ્ટર મારુતિ ઉદ્યોગ સાથે 1993માં જોડાયા હતા અને વર્ષ 2007 સુધી કંપની સાથે જોડાયેલા હતા. મારુતિને દેશની સૌથી મોટી કંપની બનાવવાનો શ્રેય પણ ખટ્ટરને પણ જાય છે. મારુતિ છોડ્યા બાદ કાનેર્શન ઓટો નામની કંપની પણ ખોલી હતી.
IASથી મારુતિ સુધીનો સફર
જગદીશ ખટ્ટરે 1993માં ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ તરીકે મારુતિ જોઇન કરી હતી અને માત્ર 6 વર્ષ બાદ જ 1999માં કંપનીના એમડી બન્યા હતા. પહેલા સરકરના નોમિનીના રૂપમાં તે બાદ 2002માં તે સુઝુકી મોટર કોર્પોરેશનપર કે પદ પર રહ્યાં. મારુતિ સુઝુકીથી જોડાયા પહેલા જગદીશ ખટ્ટર 37 વર્ષ સુધી આઇએએસ હતા.
તેમણે હોસ્પિટલ મંત્રાલય અને યુપી સરકારના ઘણા પ્રમુખ પ્રશાસનિક પર પર કામ કર્યુ. 1969 થી 1993 સુધી તેમણે ઉત્તર પ્રદેશ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ડીએમથી લઇને જોઇન્ટ સેક્રેટરી સુધીના પદ પર સેવાઓ આપી હતી. જે બાદ તે મારુતિ સાથે જોડાયા હતા. તેમના નેતૃત્વમાં મારુતિ ઉદ્યોગ વર્ષ 2002 થી 2008 વચ્ચે 9000થી 22000 કરોડ વાર્ષિક કમાણીવાળી કંપની બની ગઇ હતી અને તેનો નફો 330 કરોડથી વધીને 1730 કરોડ રૂપિયા થઇ ગયો હતો.
મારુતિ બાદ કાર્નેશનનો પાયો મુક્યો
2007માં મારુતિથી રિટાયર્મેન્ટ બાદ તેમણે કાર્નેશન ઓટો ઇન્ડિયાના નામથી એક કંપની ખોલી હતી. જેનો આખા દેશમાં સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક ફેલાયેલો છે. ખટ્ટર કંપની કાર્નેશનને 2009થી 2014 સુધી સતત ભારે નુકસાન થયુ હતુ. કંપનીએ જેમાં ઇનવેસ્ટ કર્યુ હતુ તેમાં ભારે નુકસાન થયુ હતુ.
વિવાદોમાં જગદીશ ખટ્ટર
ખટ્ટરનું નામ 2019માં વિવાદોમાં આવ્યુ હતુ જ્યારે તે કાર્નેશન ઓટો ઇન્ડિયામાં 110 કરોડ રૂપિયાના કથિત બેન્ક ફ્રોડને લઇને સીબીઆઇએ તેમના વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સીબીઆઇએ ખટ્ટર અને તેમની કંપની વિરુદ્ધ આઇપીસીની ઘણી ધારાઓ હેઠળ કેસ નોંધ્યો હતો. કંપનીએ 2009માં પંજાબ નેશનલ બેન્ક થી 170 કરોડ રુપિયાની લોન લીધી હતી. 2015માં લોન એનપીએ ઘોષિત થયો હતો જેના કારણે પીએનબીને 110 કરોડ રુપિયાનું નુકસાન થયુ હતુ.