ઓરિસ્સાની તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થવા જઇ રહી છે.
આ યાત્રાથી જોડાયેલી તૈયારીઓ પૂરી કરી અને સુરક્ષાની વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ કરવામાં આવશે. આ રથ યાત્રા ધાર્મિકરૂપથી ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ રથયાત્રામાં ભાગ લેવા અને ભગવાન જગન્નાથજીના રથ ખેંચવા માટે દુનિયાભરથી શ્રદ્ઘાળુઓ પુરી પહોંચ્યા છે. પુરીની સાથે સાથે દેશના અલગ-અલગ ભાગમાં પ્રતિક રૂપમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આજે ભગવાન જગન્નાથજીને રથ પર સવારી કરશે અને ભવ્ય યાત્રાની સાથે ભગવાન પોતાના મોસાળે જવા માટે રવાના થશે. ભગવાન જગન્નનાથજીનો મોસાળ ગુંડિચા દેવીનું મંદિર છે, જ્યાં ભગવાન જગન્નાથ વર્ષનુ એક અઠવાડિયુ રહેવા માટે જાય છે. આ દિવસની તૈયારી સવારથી શરૂ થઇ જશે અને દિવસભરના રીતિ-રિવાજો પછી રથ ખેંચવાનું કાર્ય સાંજે 4 વાગે શરૂ કરવામાં આવશે.
દર વર્ષે અષાઢી બીજના દિવસે દેશ અને દુનિયાની પ્રખ્યાત રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આયોજન 11માં દિવસે ભગવાન ઘરે પરત આવે ત્યાં સુધી ચાલે છે. ઘણા મહિનાઓથી આ યાત્રાની તૈયારી ચાલી રહી છે અને વિશેષ રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. વસંત પંચમીથી રથ નિર્માણનું કામ શરૂ કરવામાં આવે અને લીમડાના લાકડાની મદદથી વિશાળ રથ બનાવવામાં આવે છે અને આ રથ બનાવવા માટે કોઇ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત:
Odisha: Preparations underway at Puri ahead of Jagannath Rath Yatra that will commence tomorrow. Devotees in large number have gathered in Puri. pic.twitter.com/xRmKxaLjuq
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીના 3 રથ તૈયાર કરવામાં આવ્યા છે. દુનિયાભરથી આવેલા હજારો ભક્તો ભજન ગાઇને યાત્રા શરૂ કરવાની અને રથ ખેંચવાની રાહ જોઇ રહ્યા છે. આ સિવાય 142મી ભગવાન જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. CCTV કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.