રથયાત્રા એટલે અમદાવાદીઓ માટે એક તહેવાર. જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તે ૧૪2મી રથયાત્રાને થોડાજ દિવસો બાકી છે. ત્યારે તેના ભાગરૂપે આજે ભગવાનના મોસાળવાસીઓએ જગનાથ મંદિરમાં મામેરાના દર્શન રાખવામાં આવ્યા હતા. જેના દર્શન કરવા મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
જમાલપુર મંદિરમાં જગતના નાથનું મંદિર આવેલ છે જે અમદાવાદની આગવી ઓળખ ગણવામાં આવે છે. સાથે જ આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા અલગ રીતે મામેરાના વધામણા કરવામાં આવ્યા હતા. મામા દ્વારા ભાણેજોના મામેરાના આભૂષણ અલંકાર સહીતના તમામના દર્શન માટે મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યા હતા. મામા દ્વારા દર વર્ષે ભગવાનનું અષાઢી બીજે મામેરું કરવામાં આવે છે. આ સૌભાગ્ય વર્ષો બાદ શાહપુરના પટેલ પરિવારને મળ્યું છે.
૧૪૨માં ભગવન ક્યા સ્વરૂપે દર્શન આપશે તે ભક્તોમાં ખુબ આતુરતા જોવા મળતી હોય છે. ત્યારે આ વર્ષે ભગવાન રજવાડી સ્વરૂપે દર્શન આપશે જે વાઘા મામા તરફથી અને મંદિર તરફથી તૈયાર કરાયા છે. જે આજે ધ્વજ પતાકા ગજરાજ અને ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે મંદિરમાં લાવવામાં આવ્યા હતા. જેમ રથમાં સવાર થઇ પ્રભુ ખુદ ચાલીને આવ્યા હોય તેવો આખો માહોલ જગન્નાથ મય બની ગયો હતો.
ભગવાનના વાઘાની સાથે મંદિરમાં મામા તરફથી અને સ્વેચ્છાએ ભક્તો ભગવાનને ભેટ આપતા હોય છે. ત્યારે આ વર્ષે સોના ચાંદીના ઘરેણાથી લઈને દરેક વસ્તુઓ આપવામાં આવી રહ્યા છે. આ વાઘાનું કાપડ ખાસ કરીને વૃંદાવન બનારસથી મંગાવવામાં આવે છે ત્યારે આ વર્ષે ભગવાનના ભક્તો રજવાડી રૂપે દર્શન કરશે.
108 કળશ સાથે મહિલાઓ દ્વારા મામેરાના વધામણાં કરવામાં આવ્યા
ભગવાન જગન્નાથનું મામેરું આજે નિજ મંદિરે પહોંચ્યું હતું. ગજરાજ સાથે વાજતે-ગાજતે ભાણેજનું મામેરું નિજ મંદિર લઇ જવામાં આવ્યું. ત્યારે 108 કળશ સાથે મહિલાઓ દ્વારા મામેરાના વધામણાં કરવામાં આવ્યા. આ વર્ષે ભગવાન જગન્નાથના રજવાડી વાઘા બનાવાયા છે. ભગવાન જગન્નાથ રજવાડી વેશ ધારણ કરી અને નગર ચર્ચાએ નીકળશે.
ત્યારે લાલદરવાજાની વસંત વ્યાયામ શાળા અખાડા દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. શહેરના તમામ અખાડાઓ હાલ રથયાત્રા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. રથયાત્રામાં શહેરના 30 અખાડાના 300 જેટલા લોકો કરતબ કરશે.