અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવા CM રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. તમે પણ ઘેરબેઠા ભગવાનના દર્શન કરી શકો છો. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું છે. આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. જુઓ રથયાત્રાની લેટેસ્ટ અપડેટ
અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
મંદિરના પ્રાંગણમાં જ ભગવાન જગન્નાથ યાત્રા કરશે
કોરોના મહામારી વચ્ચે રથયાત્રા યોજવા મંજૂરી નહીં
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા
અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરમાં રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ નિવેદન આપ્યુ છે કે, તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મંદિરની બહાર બેરિકેટીંગ કરીને તમામ ભક્તોને પ્રવેશ અપાય છે. મંદિરના બહારના અધિકારીઓને પણ મુખ્ય જવાબદારી અપાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે
ભગવાન જગન્નાથની 143મી રથયાત્રામાં મંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી રહ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિરમાં હાજર છે. CP અને DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.
અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરમાં રથયાત્રા કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે જગન્નાથ મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિરના પરિસરમાં આવતા તમામ ભક્તોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. સામાજીક અંતર જળવાય તે રીતે મંદિરમાં કામગીરી કરવામાં આવી રહી છે
ભગવાનના રથની મંદિર પરિસરમાં પ્રદક્ષિણા
રાજ્યગૃહમંત્રી પ્રદિપસિંહ અને દિલીપદાસજીની ચર્ચા બાદ પ્રદક્ષિણા શરૂ કરાઈ. ખલાસીઓએ રથ ખેંચ્યો. મંદિરમાં ત્રણેય રથની પ્રદક્ષિણા કરવામાં આવી રહી છે. એક બાદ એક રથની પ્રદક્ષિણા કરાઈ રહી છે.
આખરે પ્રદક્ષિણા શરૂ થઈ
દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફરી રહ્યો છે.
ભક્તો ઉમટી પડ્યા
અમદાવાદ જગન્નાથ મંદિર બહાર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દર્શન કરવા ભક્તોનો મંદિર પરિસર બહાર એકઠા થયા છે.જોકે હાલ ભક્તોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ નહીં. ભક્તોને પરિસર બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રખાયા છે.
ગેટ ની બહાર રથ ન લઇ જાય તે તકેદારીના ભાગરૂપે મંદિર પોલીસનો બંદોબસ્ત વધારી દેવાયો
અમદાવાદમાં આજે 143મીં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે. ત્યારે હવે સરસપુરના રણછોડજીમાં પોલીસે ચેકિંગ કર્યુ છે.. બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરસપુરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોસાળની પૂજા વિધિને લઈને પોલીસનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદના સરસપુર ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન
મામેરાના દર્શન સાદગીપૂર્વક યોજાયા છે. કોરોનાના સંકટ વચ્ચે સરસપુરવાસીઓએ તૈયાર કર્યુ મામેરું. મોરની પ્રતિકૃતિના મોસાલવાસીઓએ વાઘા તૈયાર કર્યા છે. ભક્તોની ગેરહાજરીમાં મામેરાના દર્શન યોજાયા છે.
CM રૂપાણીએ ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવ્યું હતુ.
CM રૂપાણી ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યા હતા અને પહિંદવિધિની પરંપરા નીભાવી હતી. પ્રદિપસિંહ જાડેજા સહિત અમદાવાદના મેયર બિજલ પટેલે આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એક પણ ભક્તને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા.
અમદાવાદના ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની પરંપરામાં એકમાત્ર ફેરફાર કરાયો છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નિકળવાના નથી, આ વર્ષે માત્ર મંદિરના પ્રાંગણમાં જ જગન્નાથ યાત્રા કરશે. તે સિવાય તમામ વિધિઓ કરવામાં આવશે. જોકે ભક્તોને ખીચડીનો પ્રસાદ પણ નહીં આપવામાં આવે. બહેન શુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાનના રથ મંદીરના પરિસરમાં ફરશે.
Rath Yatra 2020 Live Updates:
- પહિંદ વિધિની કરાઈ શરૂઆત
- CM રૂપાણી ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યા
- પ્રદિપસિંહ જાડેજાએ મંગળાઆરતીમાં ભાગ લીધો
- અમિત શાહ મંદિર નહોતા પહોંચી શક્યા
- ભગવાનને ખીચડીનો ભોગ ચડાવવામાં આવ્યો
- ભગવાન જગન્નાથજીના મંદિરના દ્વાર ખુલી ગયા છે
- ભગવાન જગન્નાથજીના આંખના પાટા ખોલાયા
ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
ભગવાનની મંગળા આરતી થઇ
અષાઢી બીજે સવારે 4 વાગે ભગવાનની મંગળા આરતી થઇ. જેમાં મહંત દિલીપદાસજીએ મુખ્ય આરતી કરી હતી. સાથે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મેયર બિજલ પટેલે પણ આરતી કરી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં 11 ગજરાજોનું લવાયા છે. જેમાંથી ત્રણ ગજરાજોને આસામમાંથી લાવવામાં આવ્યા છે. આસામથી લાવવામાં આવેલા ગજરાજોને બલરામ, જાનકી, સુભદ્રા નામ રખાયુ છે. આ ઉપરાંત ત્રણેય રથોને ખલાસીઓ દ્વારા મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવ્યા છે.
ભક્તોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી દર્શન કરવા અપીલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી છે. ઈતિહાસમાં પહેલીવાર ભગવાનનો રથ મંદિરની બહાર નહીં જાય. રથને માત્ર મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે. કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે મંદિરમાં લોકો આખો દિવસ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે માટે 11 ભક્તોને પ્રવેશ અપાશે. લોકો ઘરે બેસીની દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જમાલપુર બ્રિજ નીચે, એપીએમસી અને ફાયર સ્ટેશન નજીક પાર્કિગની વ્યવસ્થા કરવામા આવી. આ ઉપરાંત દર્શન કરવા આવતા ભકતો લાઈનમા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવે માટે રાઉન્ડ બનાવવામા આવ્યા. મંદિરમા પ્રેવશ કરતા પહેલા થર્મલ ટેમ્પરેચર માપવામા આવશે. સેનેટાઈઝ ટનલમાંથી પસાર થઈને જ મંદિરમા પ્રવેશ મળશે. ભગવાનની આ વર્ષે કોઈ આગતા-સ્વાગતા નહિ કરવા મળતા અનેક ભક્તોની આંખમા પાણી જોવા મળ્યુ.
નીજ મંદિરમાં જ યાત્રા યોજાશે તે મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. મંદિરમાં સામાજિક અંતર જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.