જગન્નાથ રથયાત્રા જેટલી પ્રખ્યાત છે, તેટલો લોકપ્રિય તેનો મહાપ્રસાદ છે. આ મહાપ્રસાદને બનાવવામાં ઉપયોગમાં લેવાતુ પાણીથી લઇને તેની પ્રક્રિયા આશ્ચર્યજનક છે. આ મહાપ્રસાદ દુનિયાના સૌથી મોટા રસાડોમાં તૈયાર થાય છે.
આખરે જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ કેમ કહેવાય છે?
મહાપ્રસાદને બનાવવાની પ્રક્રિયાની ખાસિયતો શું છે?
ભોગને બનાવવામાં ગંગા-યમુનાના કૂવાના પાણીનો ઉપયોગ થાય છે
જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ કેમ કહેવામાં આવે છે?
ઓડિશાના પુરીમાં દર વર્ષે અષાઢ મહિનામાં વિશ્વ વિખ્યાત જગન્નાથ રથયાત્રા નિકળે છે. ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ લોકપ્રિય છે. જેમાં ભાગ લેવા માટે લોકો દેશ-દુનિયામાંથી આવે છે. રથયાત્રાની જેમ પુરીનો પ્રસાદ પણ લોકપ્રિય છે, જેને મહાપ્રસાદ કહેવામાં આવે છે. આજે 1 જુલાઈએ જગન્નાથ રથયાત્રા શરૂ થઇ ગઇ છે અને 12 જુલાઈ સુધી ચાલશે. રથયાત્રાના દિવસે આપણે જાણીએ કે આખરે જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ કેમ કહેવામાં આવે છે અને તેની બનાવવાની પ્રક્રિયાની ખાસિયતો શું શું છે.
ગંગા-યમુનાના પાણીથી બને છે મહાપ્રસાદ
જગન્નાથ મંદિરની રસોઈમાં બનનારા પ્રસાદને તૈયાર કરવા માટે પવિત્રતાનું તો ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ તેને બનાવવા માટે પાણી પણ ખાસ પ્રકારનુ ઉપયોગ થાય છે. ભગવાનના ભોગને રસોડાની પાસે બનેલા 2 કૂવાઓના જળથી તૈયાર કરવામાં આવે છે અને આ કૂવાનુ નામ ગંગા-યમુના છે. મોટી માત્રામાં તૈયાર કરવામાં આવેલા આ ભોગને બનાવવામાં માત્ર આ ગંગા-યમુનાના કૂવાના પાણીનો ઉપયોગ થાય છે.
800 લોકો મળીને તૈયાર કરે છે ભોગ
જગન્નાથ મંદિરના રસોડાને વિશ્વનું સૌથી મોટુ રસોડુ કહેવામાં આવે છે. અહીં મોટી માત્રામાં દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ભોગની માત્રા એટલી વધારે હોય છે કે તેને તૈયાર કરવા માટે એક વખત રસોડામાં ઓછામાં ઓછા 800 લોકો કામ કરે છે. જેમાંથી અંદાજે 500 રસોઈયા હોય છે અને 300 લોકો તેની મદદ માટે હોય છે.
મહાપ્રસાદને રાંધવાની ગજબ રીત
જગન્નાથ મંદિરમાં તૈયાર થતા મહાપ્રસાદને પકાવવામાં માત્ર માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. જેના માટે આ વાસણને એકની ઉપર એક રાખવામાં આવે છે અને ચોંકાવનારી વાત એવી છે કે સૌથી ઉપર રાખવામાં આવેલા વાસણનુ ભોજન સૌથી પહેલા અને નીચે રાખવામાં આવેલુ વાસણનુ ભોજન સૌથી છેલ્લે રંધાય છે. માન્યતા છે કે જગન્નાથ મંદિરના રસોડામાં આખો ભોગ માં લક્ષ્મીની દેખરેખમાં તૈયાર થાય છે.