ખાસ કરીને મંદિરોના શિખર પર લગાવેલ ધ્વજ જે દિશામાં હવા ચલતી હોય તે તરફ જ લહેરાય છે. ત્યારે જગન્નાથ મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં હવાથી વિપરીત દિશામાં ફરકે છે. જો કે આ ઘટનાનું સત્ય કોઇ જ જાણી શક્યું નથી.
મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર લગાવવામાં આવેલ છે. આ ચક્રને કોઇપણ દિશામાંથી જોવામાં આવે તો તે જોનારની સામે જ હોય તેવી અનુભૂતિ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવા મટે મંદિરના રસોડામાં રાખવામાં આવેલ 7 વાસણને ઉપરા-ઉપરી રાખવામાં આવે છે. સૌથી ઉપરના ભાગે રાખવામાં આવેલ વાસણમાં રહેલ પકવાન પહેલા પહેલા રંધાય છે ત્યારબાદ અન્ય વાસણોમાં રહેલ પ્રસાદ રંધાય છે.
આપને જણાવી દઇએ કે જગન્નાથ મંદિરના ઉપર કોઈ પણ પક્ષી આજ દિન સુધી ઉડતું કોઈએ જોયું નથી. મંદિરના શિખરની પાસે પક્ષી અથવા તો કોઈ પણ જીવજંતુ ઉડતું જોવા મળ્યુ નથી. મંદિરની ઉપર વિમાન પણ ઉડતું નથી. જો કે દિવસમાં કોઇપણ સમયે મંદિરના મુખ્ય શિખરનો પડછાયો જમીન પર જોવા મળતો નથી.
મંદિરના શિખર પર લગાવવામાં આવેલ ધ્વજ રોજ બદલવામાં આવે છે. જો એક દિવસ ધ્વજ બદલવામાં ના આવે તો 18 વર્ષ સુધી બંધ થઇ જાય છે તેવી એક લોક માન્યતા જગન્નાથ મંદિર સાથે જોડાયેલ છે.
સિંહદ્વારમાં પ્રવેશ કરવાથી દરિયાની લહેરનો અવાજ કાન સુધી પહોંચતો નથી. પરંતુ મંદિરની બહાર નીકળતા જ સાગરની લહેરનો અવાજ સંભળાય છે.