અમદાવાદ: ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી. મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી હતી.
મહત્વનું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમિત શાહે મંદિરના દર્શન કર્યા હતા. મંદિરના મહંતે અમિત શાહનુ સ્વાગત કર્યુ હતું. પાઘડી પહેરાવીને મંદિરના મહંતે અમિત શાહને સ્મૃતિ ચિહ્ન આપ્યુ હતું. અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ પરત ફર્યા હતા.
ભગવાન નિજમંદિરથી રથમાં બિરાજમાન થયા
ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. ત્યારે હવે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નિજમંદિરથી રથમાં પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે. જ્યારે બલરામજીના રથનું નામ તાલ ધ્વજ છે. સુભદ્રાજીના રથને પદ્માધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. રથયાત્રામાં સૌથી પહેલા આગળ મોટાભાઇ બલદેવ વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે જગન્નાથજીની સવારી હોય છે.