શહેરની અસ્મિતાનું પ્રતીક સમી અષાઢી બીજે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રામાં આ વખતે ઘણાં વર્ષ બાદ વહેલી સવારથી ખરેખરો અષાઢી માહોલ સર્જાયો હતો. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે મંગળા આરતી થતા જ મેઘરાજા પણ પોતાની હાજરી પુરાાવતા હોય તેમ અમી છાંટણારૂપે વરસ્યા હતા.
આજે ૧૪૨મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જમાલપુર નિજ મંદિરેથી સવારે સાત વાગ્યે અમી છાંટણા સાથે આરંભ થયો હતો. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરાઇ હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે તેમનાં પત્ની સાથે મંગળા આરતી કરી. મંદિર 'જય રણછોડ, માખણ ચોર'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
ત્યાર બાદ રથની પહિંદ વિધિ કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
જગતના નાથના હેતનાં છાંટણા
રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા શણગારાયેલા ગજરાજ