આડિશાની તીર્થ નગરી પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથ યાત્રા શરૂ થવાની છે. અહીંયા જગન્નાથ રથ ઉત્સવ 10 દિવસ સુધી ઊજવવામાં આવે છે. આમ તો પુરીનું જગન્નાથ મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે તેમ છતાં આ મંદિરથી જોડાયેલી એવી કેટલીક વાતો છે જેના માટે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
ઓડિશાના તીર્થ નગરી પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથ યાત્રા શરૂ થવાની છે. અહીંયા ઉત્સવ મનાવવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. આ રથ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનો જ નહીં પરંતુ ત્રણેય ભાઇ બહેનના રથોનો રંગ અલગ હોય છે.
ખાસ વાત એ છે કે રંગોની સાથે એમના નામ પણ અલગ અલગ હોય છે. ભગવાન જગન્નાથના રથને ગરુડધ્વડ અથવા કપિલધ્વજ કહેવામાં આવે છે. ત્રણેય રથમાં આ સૌથી મોટો રથ હોય છે. આ રથમાં કુલ 16 પૈડા લાગેલા હોય છે. ભગવાન જગન્નાથના રથની ઊંચાઇ 13.5 મીટર હોય છે. આ રથમાં લાલ અને પીળા રંગના કપડાનો ઉપયોગ થાય છે.
જગન્નાથ પુરીમાં કોઇ પણ સ્થાથી તમે મંદિરની ટોચ પર લાગેલા સુદર્શન ચક્રને જોશો તો એ તમને સદૈવ પોતાની સામે જ લાગશે.
મંદિરની ઉપર સ્થાપિત ધજા હંમેશા હવાથી વિપરિત દિશામાં લહેરાવાય છે.
આ મંદિરનું રસોઇઘર દુનિયાનું સૌથી મોટું રસોઇઘર છે.
દરરોજ સાયંકાલ મંદિરની ઉપર સ્થાપિત ધજાને માનવ દ્વારા ઉલ્ટા ચઢીને બદલવામાં આવે છે.
મંદિરના સિંહદ્વારમાં પહેલા પગ મૂકતા જ મંદિરની અંદર કોઇ પણ ભક્તને સાગર દ્વારા નિર્મિત અવાજ સંભળાતો નથી જેવા તમે મંદિરની બહાર પગ મૂકો છો એવો તમને અવાજ સંભળાશે.
જગન્નાથપુરીના રસોડામાં ભગવાન જગન્નાથને ચઢાવવામાં આવતા મહાપ્રસાદને બનાવવા માટે 500 રસોઇયા અને 300 સહયોગી એક સાથે કામ કરે છે. અહીંયા સમગ્ર પ્રસાદ માટીના વાસણમાં બનાવવામાં આવે છે.
હેરાન કરનારી વાત તો એ છે કે આ મંદિરના ઉપથી કોઇ પણ પક્ષી કે વિમાનને ઊડતા જોઇ શકશો નહીં.