જગન્નાથપુરી રથયાત્રા (Jagannath Puri Rath Yatra) માં દર વર્ષે લાખો ભક્તોનો મેળાવડો જામતો હોય છે. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ (Jagannath) નો રથ ખેંચવાથી પુણ્ય થાય છે. એ જ કારણ છે કે ભગવાનનાં રથને ખેંચવા માટે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી અહીં આવતા હોય છે. પરંતુ તેમ છતાં ભીડે જે રીતે એક એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપવામાં આવ્યો તે ખરેખર એક પ્રશંસનીય છે.
ન્યૂ દિલ્હીઃ જગન્નાથપુરી રથયાત્રા (Jagannath Puri Rath Yatra) માં દર વર્ષે લાખો ભક્તોનો મેળાવડો જામતો હોય છે. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ (Jagannath) નો રથ ખેંચવાથી પુણ્ય થાય છે. એ જ કારણ છે કે ભગવાનનાં રથને ખેંચવા માટે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી અહીં આવતા હોય છે. એવામાં સ્વભાવિક છે કે આ ભીડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ઘણું મુશ્કેલ થઇ જાય છે. પરંતુ તેમ છતાં ભીડે જે રીતે એક એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપવામાં આવ્યો તે ખરેખર એક પ્રશંસનીય છે.
મળતી ખબર અનુસાર, 4 જુલાઇનાં રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમ્યાન અંદાજે 1200 સ્વયંસેવકો અને લાખો ભક્તોએ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો. આ ઘટનાનો વીડિયો ખુદ પૂરીનાં SPએ ટ્વિટ કર્યો છે કે ખૂબ જલ્દી વાયરલ થઇ રહ્યો છે.
1200 volunteers, 10 organizations and hours of practice made this human corridor for free ambulance movement possible during Puri Rath Yatra 2019. pic.twitter.com/zVKzqhzYCw
This is great work.Only possible through proper planning amd coordination.
Kuddos to @AMITABHTHAKUR21 Sir who lead the traffic movment during ratha yatra.Thank you Sir.
કેટલાંક દિવસો પહેલાં એ જ રીતે એક ઘટના હોંગકોંગમાં પણ થઇ હતી કે જ્યારે અનેક પ્રદર્શનકારીઓએ એક એમ્બ્યુલન્સને જવા માટેનો રસ્તો આપ્યો હતો. ત્યારે મહત્વનું છે કે આ રીતનાં સમાચારો એ ખરેખર પ્રશંસનીયને પાત્ર છે ને તેવી ઘટનાઓને લઇને કહી શકાય કે હજી પણ માનવીયતા કાયમી છે.