આંધ્રપ્રદેશમાં સીએમ ચંદ્રાબાબુ નાયડૂ ટીડીપી પક્ષની કારમી હાર થઈ છે. ત્યારે નવી સરકાર રચવા માટે કવાયત હાથ ધરાશે. આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નવી સરકાર રચવાને લઈને જગનમોહન રેડ્ડી આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ પહેલા વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો દળની એક બેઠક મળશે. જેમાં વાયએસ જગનમોહન રેડ્ડીને ધારાસબ્યોના દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
જગનમોહન રેડ્ડી હૈદરાબાદ માટે રવાના થશે અને સાંજે સાડા ચાર વાગે રાજ્યપાલ ઈ.એસ.એલ.નરસિમ્હાને મળશે અને ધારાસભ્યોના દળના પ્રસ્તાવને રાજ્યપાલને સોંપશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં વાય.એસ.આર.સી.પી.ને 151 સીટ મળી છે. જે બાદ જગનમોહન રેડ્ડીએ ગઈ કાલે ઘોષણા કરી હતી કે 30મેના રોજ તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.