અભિનેતા અરૂણ ગોવિલે ટીવી શૉ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. આ પાત્રને તેમણે શાનદાર રીતે નિભાવ્યું હતું અને લોકો તેમનામાં જ પ્રભુ શ્રી રામની છવિ જોવા લાગ્યાં હતાં. આજે પણ અરૂણ ગોવિલને જોઇને તેમના ફેન્સ તેમની તરફ દોડી જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થયેલા એક્ટર અરૂણ ગોવિલની એક વીડિયો લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તેમાં એક્ટર સ્વામી જગદગુરૂ રામભદ્રાચાર્યજી તેમનાથી મુલાકાત કરતાં નજરે પડે છે.
રામભદ્રાચાર્યજીની આંખો અશ્રુ ભીની
વીડિયોમાં રામભદ્રાચાર્યજી એક્ટરને ભેટી પડતાં નજરે પડે છે. રિપોર્ટ અનુસાર અરૂણ ગોવિલ, જગદગુરૂ રામચંદ્રાચાર્યજીના સત્સંગમાં પહોંચ્યાં હતાં. ત્યાં પહોંચીને અરૂણ ગોવિલે જેવા રામચંદ્રાચાર્યજીનાં ચરણ સ્પર્શ કર્યાં તેવા જ રામભદ્રાચાર્યજીએ તેમને ભેટી લીધાં. કેટલીક સેકન્ડ્સ માટે તેમણે અરૂણ ગોવિલને ભેટીને જ રાખ્યાં અને તે દરમિયાન તે ભાવુક થયાં અને રડી પડ્યાં. થોડી ક્ષણો માટે તો એવું લાગ્યું કે જાણે સાચો ભક્ત ભગવાનને જોઇને ભાવુક થયો હોય.
राम जी का अभिनय करने वाला भी हम सबके लिए प्रभु का रूप हैं 🙏🏻💐
रामभद्राचार्य जी महाराज अरुण गोविल जी को गले लगा कर रो दिए🙏🏻😥 pic.twitter.com/o1raEEWWF5
'મારા જીવનનો સૌથી મોટો લક્ષ્ય રહ્યો છે રાઘવ'
અરૂણ ગોવિલથી મળ્યાં બાદ જગદગુરૂએ પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે એક્ટરનાં વખાણ કરતાં કહ્યું કે 'તું અભિનય કરતો હતો. આ બંધ આંખોથી મને રામજીનું સ્વરૂપ દેખાતું હતું. ' જેના જવાબમાં અરૂણ ગોવિલે કહ્યું કે 'બસ તમારી કૃપા છે.' રામભદ્રાચાર્યજી એ કહ્યું કે 'ભલે મોટાભાગનાં લોકોએ અરૂણને અરૂણ તરીકે જ જોયો હોય પરંતુ જ્યારે તે અભિનય કરે છે તેમાં રામનો આવાસ થાય છે. તેમને પણ લાગ્યું હશે કે જ્યાં સુધી ભારતમાં રામત્વ નહીં હોય ત્યાં સુધી કલ્યાણની કલ્પના કરી નહીં શકાય. મારા જીવનનો સૌથી મોટો લક્ષ્ય રહ્યો છે રાઘવ.'
5 વર્ષની ઉંમરમાં ગીતા કંઠસ્થ કરી
રામભદ્રાચાર્યજીએ કહ્યું કે 'જન્મ લીધા બાદ આંખોને વિદાય આપી, પાંચ વર્ષની ઉંમરમાં મેં સમગ્ર ગીતા કંઠસ્થ કરી અને સાત વર્ષની ઉંમરમાં સમગ્ર રામચરિતમાનસને પણ કંઠસ્થ કર્યું. મને બસ ધર્મ કામ અને કૌશલ્યા રામ જોઇએ છે.'