ગુજરાતી ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી આઈપીએલની અધવચ્ચે છોડીને ચાહકોને આંચકો આપ્યો છે. આ સાથે ધોનીના ફેન્સને ફરી તેમનો ફેવરિટ ખેલાડી CSK ની કેપ્ટન્સી કરતો જોવા મળશે. આ સીઝ્નમાં ચેન્નાઈની ટીમ જાડેજાની કપ્તાનીમાં ખાસ સારું પરફોર્મ કરી શકી નહોતી. જેના કારણે જાડેજાએ આ પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
રવીન્દ્ર જાડેજાની કેપ્ટન્સીમાં આ સિઝનમાં ચેન્નાઈની ટીમ ખાસ પરફોર્મ કરી શકી નહોતી. આધુરામાં પૂરું જાડેજાના પર્ફોર્મન્સ પર પણ અસર જોવા મળી હતી જેથી તેણે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો હતો.
IPL ની સૌથી ખરાબ સીઝન
ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ સીઝન ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી. આ વખતે સીઝન જીતવાના તો દૂર સેમિફાઇનલમાં પહોંચવાના ચાન્સ પણ ઓછાં લાગતા હતા એવામાં જાડેજાએ ફરી ધોનીને કેપ્ટનશિપ સોંપી દીધી છે.