બોલીવૂડ અભિનેત્રી જેકલીનની છેલ્લા ચાર દિવસમાં ચાર વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ આજની પૂછપરછમાં પણ તે પહોંચી નથી.
જેકલીન ફર્નાન્ડિસ ફરી EDની ઑફીસ ન પહોંચી
નોરા ફતેહીને પણ આવ્યું હતું EDનું તેડુ
ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
જેકલીને આ તારીખે થવાનું હતું હાજર
જેકલીનને છેલ્લા ચાર દિવસમાં ત્રણવાર પૂછપરછ માટે EDએ બોલાવી હતી પરંતુ તેણે ત્રણ દિવસ 15 ઓક્ટોબર, 16 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરની EDની પૂછપરછને સ્કિપ કરી દીધી હતી. આ પહેલા 25 સપ્ટેમ્બરની પૂછપરછમાં પણ તેણે પર્સનલ કારણ બતાવ્યું હતુ અને નહોતી આવી.
સુકેશ ચંદ્રશેખર કેસમાં જેક્લીન સિવાય નોરાનું કનેક્શન પણ સામે આવી રહ્યું હોવાના અહેવાલ છે. ઇડી આ સંબંધમાં તેની પૂછપરછ કરવા માંગે છે. અગાઉ જેકલિનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુકેશ દ્વારા જેકલીનને પણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણોસર, અભિનેત્રી પાસેથી પણ સુકેશ વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
દિલ્હીની તિહાડ જેલમા બંધ સુકેશ ચંદ્ર શેખર 200 કરોડની છેતરપિંડીનો આરોપી છે અને આ મામલે આજે નોર ફતેહી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. નોરાની સાથે સાથે EDએ ફરીથી જેક્લીનને પણ સમન પાઠવ્યું છે. સુકેશ નામક વ્યક્તિએ નોરા ફતેહી અને જેક્લીન સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.