જેક્લીન ફર્નાન્ડિઝ લોકડાઉન શરૂ થયું ત્યારથી જ સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર રહેવા જતી રહી હતી, પણ હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, જેક્લીન ફર્નાન્ડિઝે સલમાન ખાનનું ફાર્મહાઉસ છોડી દીધું છે અને તે મુંબઈ પરત આવી ગઈ છે.
જેક્લીન ફર્નાન્ડિઝે છોડ્યું સલમાનનું ફાર્મહાઉસ
મુંબઈ પરત આવી અભિનેત્રી
મુંબઈ આવવાનું કારણ જાણી દંગ રહી જશો
એક રિપોર્ટ મુજબ જેક્લીન ફર્નાન્ડિઝ મુંબઈ તેની એક ફ્રેન્ડ માટે પરત આવી ગઈ છે, કારણ કે, તે તણાવમાં હતી. જેક્લીન ફર્નાન્ડિઝની ફ્રેન્ડ મુંબઈમાં એકલી રહેતી હતી. જેથી આ મુશ્કેલ ઘડીમાં ફ્રેન્ડનો સાથ આપવા માટે જેક્લીન ફર્નાન્ડિઝે પનવેલ ફાર્મહાઉસ છોડીને મુંબઈ આવી ગઈ છે.
જેક્લીન ફર્નાન્ડિઝ અને તેની ફ્રેન્ડ ખૂબ જ સારાં મિત્રો છે અને તેની અવારનવાર કોલ અને વીડિયો કોલ પર વાતો થતી રહેતી હતી. પણ જેક્લીન ફર્નાન્ડિઝને જ્યારે ખબર પડી કે તેની ફ્રેન્ડ પરેશાન છે અને તણાવમાં છે તો તે તરત જ પનવેલ છોડીને તેની પાસે આવી ગઈ. તેને લાગ્યું કે તેની ફ્રેન્ડને અત્યારે તેની સૌથી વધુ જરૂર છે, જેથી હમણાં તે તેની ફ્રેન્ડ સાથે જ રહેશે.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે 31 જુલાઈ સુધી લોકડાઉન લંબાવી દીધું છે. જેથી પોતાની ફ્રેન્ડને એકલતા અને તણાવથી બચાવવા માટે જેક્લીન ફર્નાન્ડિઝે આ નિર્ણય લીધો છે. જેક્લીન ફર્નાન્ડિઝે સલમાન ખાનના ફાર્મહાઉસથી બે સોન્ગ પર રિલીઝ કર્યા હતા. જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી.