જીવન અને મૃત્યુની વચ્ચે જંગ લડી રહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી જૅકબ માર્ટિનની સહાયતા માટે ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી આગળ આવ્યાં છે.
ગાંગુલીએ તમામ સંભવ મદદનો વાયદો કરતા કહ્યું છે કે તે પોતાને એકલો સમજે અને હું તેના પરિવાર સાથે ઊભો છું. ઉલ્લેખનીય છે કે જેકબ માર્ટિન વડોદરાનો રહેવાસી છે અને ભારતીય ટીમ માટે 10 વન-ડે મેચ રમી ચૂક્યો છે.
હકીકતમાં 28 ડિસેમ્બરે સ્કૂટર પર જતી વખતે રોડ અકસ્માતમાં માર્ટિન ગંભીર રૂપે ઘાયલ થયો હતો જેનો ઇલાજ વડોદરાની એક હોસ્પિટલમાં ચાલી રહ્યો છે પરંતુ તેના પરિવાર પાસે ઇલાજના પૈસા ન હતા. આવામાં તેની પત્નીએ ક્રિકેટર્સ પાસે મદદ માંગી હતી જેના બાદ સૌરવ ગાંગુલીએ પોતાની દરિયાદિલી બતાવી છે.
Former India cricketer and ex-Baroda coach Jacob Martin met with an accident and is in the hospital.
Wish you a speedy recovery Jacob bhai and praying for your wellbeing. #getwellsoonpic.twitter.com/FDUNI74i3C
સૌરવે કહ્યું હતું કે "માર્ટિન અને હું ટીમમેટ રહ્યાં છીએ. તે શાંત સ્વભાવની વ્યક્તિ છે. પ્રાર્થના કરુ છું કે માર્ટિન જલ્દીથી ઠીક થઈ જાય અને તેના પરિવારને જણાવવા માંગુ છું કે તેઓ એકલા નથી."
હાલમાં 46 વર્ષીય માર્ટિન હૉસ્પિટલમાં દાખલ છે અને BCCI અને વડોદરા ક્રિકેટ ઍસોસિયેશને પણ તેની મદદ કરી છે. એક સમય હતો જ્યારે હૉસ્પિટલનું બિલ 11 લાખને પાર થઈ ગયું હતું અને તેની સારવાર રોકી દેવાઈ હતી. ત્યાર બાદ BCCI દ્વારા 5 લાખ જમા કરાવવામાં આવ્યાં ત્યારે તેનો ઇલાજ શરૂ કરાયો હતો. વડોદરા ક્રિકેટ એસોસિયેશને પણ ત્રણ લાખની મદદ કરી છે.
જેકબ માર્ટિનની મદદે કોચ રવિ શાસ્ત્રી પણ આવ્યાં છે અને કહ્યું છે કે મારા તરફથી જે મદદ જોઈશે તે હું કરીશ. આ ઉપરાંત ઝહીર ખાન યુસુફ અને ઇરફાન પઠાણ મુનાફ પટેલ સૌરવ ગાંગુલી રવિ શાસ્ત્રી અત્યાર સુધી મદદ માટે આગળ આવ્યાં છે.
માર્ટિન ભારત માટે 10 વન-ડે મેચ રમ્યો છે અને તેની જ કૅપ્ટનશીપમાં વડોદરા 2000-2001માં રણજી ટ્રૉફી પણ જીત્યું હતું. તેણે અંતિમ ઇન્ટરનેશનલ વન-ડે મેચ લગભગ 18 વર્ષ પહેલાં કેન્યા વિરુદ્ધ રમી હતી. તેણે કુલ 10 મૅચોમાં 158 રન બનાવ્યાં હતાં. 138 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 9192 રન બનાવ્યા હતાં જેમાં 23 સદી પણ શામેલ છે.