દેશમાં હજી કેરળમાં હાથણીને મારવાનો મામલો શાંત થયો નથી ત્યાં એક શિયાળ (Jackal) ના મોતનો મામલો સામે આવવાથી હડકંપ મચી ગયો છે. એક મળતી વિગત અનુસાર ચેન્નાઇના તિરચી જિલ્લામાં કેટલાંક લોકોએ શિયાળને વિસ્ફોટ પદાર્થ ખવડાવી મારી નાંખ્યું. આ ગુનાહીત કાર્યને લઇને પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર દોષીઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
શિયાળને વિસ્ફોટક મીટ ખવડાવી માર્યું
પોલીસે 12 લોકોની કરી ધરપકડ
પ્રાપ્ત મળતી જાણકારી મુજબ શિયાળને વિસ્ફોટકવાળું મીટ ખવડાવ્યું, જે તેના મોઢામાં ગયા બાદ ફાટી ગયું, જેને લઇને તેનું મૃત્યું થયું.
ઉલ્લેખનીય છે કે 1972માં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ મુજબ શિયાળ એક સંરક્ષિત પશુ છે. તેમ છતાં તિરચીમાં શિયાળ સાથે લોકોએ આ દરિદ્રભર્યું કારાસ્તાન કર્યું.
શિયાળને વિસ્ફોટક વાળુ મીટ ખવડાવ્યું
ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સી કોકિલાના જણાવ્યાં મુજબ જે લોકોની ધરપકડ કરવામાં આી છે, તેઓ નજીકના ગામમાં ચાની દુકાન પર હતા. ત્યારે જ તેઓને કોન્સ્ટેબલે જોતા ધરપકડ કરી હતી.
પકડાયેલા લોકોના જણાવ્યાં મુજબ તે લોકોએ જિયાપુરમ જંગલમાં એક માંસ (મીટ)ના ટુકડામાં વિસ્ફોટક પદાર્થ રાખ્યો હતો. જેવું શિયાળે ખાધુ, તો મોઢામાં ફાટ્યું. જેને લઇને શિયાળનું ઘટનાસ્થળ પર જ મૃત્યું થયું હતું. હાલમાં બધા ધરપકડ કરાયેલા લોકોને પોલીસે તિરચીએ વન વિભાગને સોંપી દીધા છે.