કોરોના વાયરસને લઇ અન્ય ગંભીર બીમારીઓનો ડર સતાવી રહ્યો છે. ત્યારે ગર્ભવતી મહિલાઓને કોરોનાને લઇ ડોક્ટર્સ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
કોરોનાના કારણે અન્ય ગંભીર બીમારીઓનો ડર
ગર્ભવતી મહિલાઓને ડોક્ટર્સની ચેતવણી
બાળકોમાં જોવા મળી રહી છે ગંભીર બીમારી
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિતોના બાળકોમાં ગંભીર બીમારી જોવા મળી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને જો કોરોના થયો હોય તો તેમના બાળકોમાં પોસ્ટ કોવિડ ઇફેક્ટની અસર નવજાત બાળકોમાં જોવા મળી રહી છે.
જબલપુરમાં 50થી વધુ કેસ
ગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયેલી મહિલાના બાળકોમાં પોસ્ટ કોવિડની અસર જોવા મળી છે. જબલપુર જિલ્લામાં 50થી વધુ પોસ્ટ કોવિડ ઇફેક્ટના નવજાત બાળકો જોવા મળ્યા. જેમાં નવજાત બાળકોમાં મલ્ટી-સિસ્ટમ ઇન્ફ્લૈમેટરી સિંડ્રોમ બીમારી જોવા મળી છે.
આંતરિક અંગને પણ કરે છે પ્રભાવિત
મલ્ટી-સિસ્ટમ ઇન્ફ્લૈમેટરી સિંડ્રોમ બીમારીમાં બાળકની કિડની, હાર્ટ, લીવર અને બ્રેઇન પર અસર પડે છે. જે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ જરૂર કરતા વધી જાય તો પણ આંતરિક અંગને પ્રભાવિત કરે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
કોરોનાની વિરુદ્ધ ભારત જીત તરફ વધતો જણાઈ રહ્યુ છે. દેશમાં જૂન મહિનો હવે રાહત આપી રહ્યો છે. કેમ કે લગભગ 2 મહિના બાદ કોરોનાના નવા મામલામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 1.20 કેસ આવ્યા છે. જે ગત 58 દિવસમાં સૌથી ઓછા છે. આ રીતે સતત 9માં દિવસે રોજ મળનારા નવા મામલામાં 2 લાખથી ઓછા રહ્યા છે.
કુલ 2.67 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં 80 હજાર 740નો ઘટાડો નોંધાયો છે. સાથે આ દરમિયાન 1, 97, 894 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. આ રીતે ગત વર્ષ 23 દિવસોમાં સતત નવા દર્દીની સંખ્યામાં સાજા થનારાની સંખ્યા વધારે છે. દેશમાં કુલ 2.67 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે.
એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે
ત્યારે મોતની વાત કરીએ તો આ મોર્ચા પર ચિંતા યથાવત છે. દેશમાં ગત 24 કલાકમાં 3380 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ રીતે દેશમાં કોરોનાથી મરનારાની સંખ્યા 3, 44, 082 થઈ ગઈ છે. એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે તે ઘટીને 15, 55, 248 આવ્યો છે.