તમે વિખ્યાત સેલેબ્રિટિસ અને રાજકારણીને જેડ પ્લસ સુરક્ષામાં જોયા હશે પરંતુ કેરીનાં બગીચાની સુરક્ષા માટે ગાર્ડસ અને ડૉગની જબરદસ્ત પહરેદારી ભાગ્યે જ સાંભળી હશે.
લાખોના ભાવની કેરી જબલપુરના બગીચામાં
24 કલાક ગાર્ડસ અને ડૉગ કરે છે બગીચાની સુરક્ષા
બગીચામાં છે 14 દુર્લભ જાતિની કેરીઓ
જબલપુરના બગીચામાં છે જાપાનની દુર્લભ કેરી
જબલપુરના ચરગવા રસ્તા પર આવેલા કેરીનાં બગીચાની સુરક્ષા માટે 24 કલાક ગાર્ડસ અને ડૉગની પહરેદારી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કેરીની કિંમત હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે.આ કેરી માત્ર જાપાનમાં જ થાય છે અને ઘેરાયેલ વાતાવરણમાં જ તેને ઉગાડવામાં આવે છે પરંતુ સંકલ્પ સિંહ પરિહારે પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં જ ઉગાડી હતી.
ચોરીની ઘટના બનતા સુરક્ષામાં કર્યો વધારો
લાખોની કેરી જબલપુરમાં છે એ વાત આગની જેમ સર્વત્ર ફેલાઈ ગઈ અને બગીચામાં ચોરી થવાની ઘટનાઓ પણ બનવા લાગી જેથી સંકલ્પ સિંહે બગીચાની સુરક્ષા માટે ગાર્ડસની સાથે સાથે કુતરાઓને પણ રાખી લીધા હવે 24 કલાક 4 ગાર્ડ અને 6 કુતરાઓ બગીચાની સુરક્ષા માટે પહરેદારી કરે છે.
બગીચામાં છે 14 જાતની હાઇબ્રીડ કેરીઓ
પરિહારે જણાવ્યું કે, બગીચામાં 14 જાતની કેરીઓ છે પરંતુ જાપાની કેરી માત્ર 7 જ છે જેની સુરક્ષા કરવા માટે 24 કલાક ગાર્ડસ અને કૂતરાઓની પહરેદારી કરવી જરૂરી છે. આ કેરીને એગ ઓફ સન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે, જ્યારે આ પાકી જે ત્યારે તેનો રંગ લાલ અને પીળો થઈ જાય છે. આ કેરીનું જાપનિસ નામ તાયો નો તમંગોષ છે.
2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ હતી આ કેરી
સંકલ્પ સિંહે કહ્યું હતું કે ગયા વર્ષે આ કેરીને 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેચવામાં આવી હતી અને નાગપુરના એક વેપારીએ એક કેરીનાં 21 હજાર રૂપિયા આપવાનું પણ કહ્યું હતું.આ કેરીનું વજન આશરે 900 ગ્રામ જેટલું હોય છે અને સ્વાદમાં પણ અત્યંત મીઠાસથી ભરપૂર હોય છે.
ભારતની સૌથી મોંઘી કેરી છે મલ્લિકા
જાપાનમાં જ થતી કેરી ભારતમાં થવા લાગે એ વાત જાણીને ચોક્કસ નવાઈ પમાડે તેવી છે. સંકલ્પે કહ્યું કે, બગીચાની શરૂઆત તેમણે છોડ વાવીને કરી હતી અને આજે 14 હાઇબ્રીડ જાતની કેરીઓ તેમના બગીચામાં છે. જેમાંથી એક છે મલ્લિકા કે જે ભારતની સૌથી મોંઘી કેરી છે અને જેનું વજન પણ સૌથી વધારે છે.
ગુજરાતમાં પણ છે મિયાવાકી પદ્ધતિનું ચલણ
વલસાડના નારગોલમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી દુનિયાના સૌથી મોટા અને દરિયાકિનારાને અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીં માત્ર 27 દિવસમાં જ 1 લાખ 20 હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી સુંદર વન નિર્માણની કામગીરી પૂર્ણ કરાતા સમગ્ર બીચની રૂપ રેખામાં નવું પિંછું ઉમેરાતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
તણખલું પણ ઉગતું નહોંતુ ત્યાં બનાવાયા તળાવ
મહત્વનું છે કે, ગામના ઉત્સાહી સરપંચ કાંતિલાલ કોટવાલ અને પંચાયતની બોડીની દીર્ઘદ્રષ્ટિના કારણે જે સ્થળે ખારા પાણીના કારણે વિલાયતી બાવળો સિવાય એક તણખલું પણ ઉગતું ન હતું. એ સ્થળે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવો બનાવાયા છે. નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરાયું છે. અને સીંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60થી વધુ પ્રકારના વૃક્ષોનું રોપવામાં આવ્યા છે.. જોકે આ કાર્યને સફળ બનાવવા માટે એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના ફાઉન્ડર દીપેન જૈન અને કો-ફાઉન્ડર ડૉ. આર.કે. નાયરે ભારે જહેમત ઉપાડી છે. જીવનમાં 58 થી વધુ જંગલો બનાવનાર ડૉ. આર.કે. નાયર “ગ્રીન હીરો ઓફ ઈન્ડિયા” તરીકે પ્રચલિત બન્યા છે.
શું છે મિયાવાકી પદ્ધતિ ?
આવો સવાલ તમને થતો હશે.. તો આપને જણાવી દઈએ કે, મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતાથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ 300 વર્ષમાં થાય છે.