શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે. ત્યારે હવે કાશ્મીરના બાંદીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. વહેલી સવારથી આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ સેના દ્વારા પણ જવાબી ફાયરિંગ શરૂ કરવામાં આવી છે.
ગુરુવારે જ આતંકીઓએ ભાજપના નેચા પર હુમલો કર્યો હતો ત્યારબાદ સેના-પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ અથડામણમાં સેનાનો એક જવાન શહીદ પણ થઇ ગયો.
આ ઉપરાંત હવે બાંદીપોરામાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ શ્રીનગરમાં પણ આંતકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવી. જવાબી ફાયરિંગમાં સેનના જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે.