જમ્મૂ-કશ્મીરના શોપિયાંમાં પોલીસચોકી પર આતંકીઓએ હુમલો કરતાં ત્રણ પોલીસ જવાન શહીદ થયા છે. જ્યારે એક પોલીસ જવાન ઘાયલ થયો છે. ઘાયલ થયેલ પોલીસ જવાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મંગળવારે એટલે કે આજે બપોરના સમયે આતંકવાદીઓએ પોલીસ ચોકી ઉપર અચાનક હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ ફાયરિંગ બાદ આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા છે. જોકે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી આતંકીઓને પકડવા સર્ચ ઓપરેશન જારી છે.
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં શ્રીનગરના મુજગુંડમાં સેના અને આતંકીઓની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે આ આતંકી લશ્કર-એ-તૈયબના હતા.