શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત 2 સૈનિકોની લાશ મળી હતી. છ દિવસથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 9 સૈનિકો શહીદ થયા છે જેમાં 2 જેસીઓએ પણ સામેલ છે.
મેંઢરના નર ખાસ જંગલમાંથી મળ્યા વધુ બે મૃતદેહો
પૂંછના સુરનકોટ જંગલમાં સોમવારે શરુ થયેલું એન્કાઉન્ટર રાજોરીના થાનામંડીથી પૂછના મેંઢર સુધી ફેલાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મેંઢરના નર ખાસ જંગલ વિસ્તારમાં ઘટનાસ્થળ નજીક એક જેસીઓ અને એક જવાનના મૃતદેહો મળી આવ્યા હતા જ્યાં ગુરુવારે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. અગાઉ 11 ઓક્ટોબરે પૂંચના સુરાનકોટ જંગલમાં આર્મીના પેટ્રોલિંગ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જુનિયર કામશાંડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા.
ભાગેડુ આતંકવાદીઓ અને સેનાની સર્ચ ટીમ વચ્ચે એન્કાઉન્ટર
તે જ દિવસે રાજૌરીના થાનામંડી જંગલમાં ભાગેડુ આતંકવાદીઓ અને સેનાની સર્ચ ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેઢરથી થાણામંડી સુધીના સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આતંકવાદીઓ ઘેરાબંધીથી બચવાના પ્રયાસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ વિવેક ગુપ્તાએ મંગળવારે કહ્યું હતું કે પૂંચમાં સુરક્ષા દળો પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા બેથી ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હાજર છે. આ વર્ષે જૂનથી જમ્મુ વિસ્તારના રાજૌરી અને પૂંચ વિસ્તારોમાં ઘુસણખોરીના પ્રયાસો માં વધારો થયો છે.
અલગ અલગ એન્કાઉન્ટરમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા
અલગ અલગ એન્કાઉન્ટરમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા છે. દરમિયાન સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાઇફલમેન નેગી અને સિંહના પાર્થિવ દેહને શનિવારે સવારે એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ લઈ જવામાં આવ્યો હતો. જવાનોના પાર્થિવ દેહને એરપોર્ટથી તેમના વતન સુધી સડક માર્ગે લઈ જવામાં આવશે અને અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે.