રાજકોટમાં એક એવોર્ડ સમારોહ માટે આવતા પહેલા જાણીતા કથાકાર મોરારીબાપુ પણ 'ત્યાં આવવા જેવું ખરું' ના સંદર્ભમાં , ક્યાંક ઉકળતી કડાઈમાં તો હાથ નથી નાખી રહ્યા ને ? તેવો સવાલ પૂછ્યો
રાજકોટ આવતા પૂર્વે મૂંઝાયા મોરારીબાપુ
યૂનિ.નાં વિવાદના પગલે બાપુની વિમાસણ
વડોદરામાં યૂનિ,માં પણ રાજકોટ જેવી જ સ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 88 જેટલા કરાર આધારિત અધ્યાપકોની નિમણૂકનો વિવાદ ચરમ પર છે.ત્યારે રવિવારે યોજાયેલા એક એવોર્ડ સમારોહ માટે આવેલા જાણીતા કથાકાર મોરારીબાપુ પણ 'ત્યાં આવવા જેવું ખરું' ના સંદર્ભમાં , ક્યાંક ઉકળતી કડાઈમાં તો હાથ નથી નાખી રહ્યા ને ? તેવો સવાલ ઉપકુલપતિ દેસાણીને કાર્યક્રમમાં આવતા પહેલા ટેલીફોનિક પ્રશ્નમાં પૂછ્યો હતો.
એવોર્ડ સમારોહમાં મોરારીબાપુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં સીન્ડીકેટ સદસ્યોની ભલામણનો વિવાદ ઉઠ્યા બાદ,આખી પ્રકિયા જ રદ કરી દેવામાં આવી તો આ વિવાદ ગાંધીનગર સુધી પહોચ્યો અને એક તપાસ કમિટી પણ રાજકોટ પહોચી ગઈ હતી. ત્યારે,રવિવારે રાજકોટમાં મેઘાણી-હેમુ ગઢવી એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેલા મોરારીબાપુએ વૈચારિક કટાક્ષ કરતા કહ્યું કે, વિધાધામમાં વિવાદ નહિ સંવાદ હોવો જોઈએ'
'વિદ્યાધામમાં વિવાદ નહિ સંવાદ હોવો જોઈએ'
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા રાજકોટના હેમુ ગઢવી હોલમાં એવોર્ડ સમ,આરોહ યોજાયો હતો. જેમાં ભાષાવિદ નરોતમ પલાણ અને અમૃત પટેલ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ સાથે જ કાશીબહેન ગોહિલ અને નાથાભાઈ ગમારને હેમુ ગઢવી એવોર્ડ એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં આવતા પૂર્વે મોરારીબાપુએ ઉપકુલપતિને ફોન કરીને પૂછ્યું હતું કે, ત્યાં આવવા જેવું ખરું ? કાર્યક્રમ દરમિયાન આ બાબતનો ખુલાસો કરી,મોરારીબાપુએ ટીપ્પણી કરતા કહ્યું કે વિદ્યાધામમાં વિવાદ નહિ સંવાદ હોવો જોઈએ. આપણે કેટલા બધા વિવાદોમાં પડ્યા રહીએ છીએ.
MS યૂનિ.માં પણ સૌરાષ્ટ્ર યૂનિ.વાળી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જેવો જ વિવાદ હવે વડોદરાની MS યુનિવર્સીટીમાં ભરતી અંગે ઉઠ્યો છે. સિન્ડીકેટની યોજાઈ રહેલી બેઠકમાં 3 સિન્ડિકેટ સભ્યોને ભરતી અંગેની માહિતી આપવી કે નહિ તેનો નિર્ણય લેવાશે. આ અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રવિવારે મોરચો ખોલ્યો હતો.અને ભરી પ્રક્રિયામાં ગોબાચારી નહિ ચલાવી લેવાના સંકેત આપી,કેટલાક સદસ્યો સાથે બેઠક પણ કરી હતી. સિન્ડીકેટની બેઠકમાં યુનિ.માં ચાલતા ભરતી કૌભાંડને લઈ ચર્ચા થશે
સિંન્ડીકેટ સભ્ય ઈનામદાર લડી લેવાના મૂડમાં
વડોદરા MS યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય જીગર ઈનામદારે કહ્યું કે, શક્ય હતી તેટલી તમામ માહિતીઓ આપી દેવામાં આવી છે,પરંતુ ક્યા એક્પરટે કેટલા ગુણાક આપ્યા છે તે જાહેર ના કરી શકાય.ઇનામદારે ત્યાં સુધી કહ્યું કે,કોઈપણ પ્રકારનુ કૌભાડ સાબિત થશે તો હુ રાજીનામુ આપી દઈશ