પેટ્રોલ-ડીઝલના આસમાન આંબી રહેલા ભાવના મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારામણનું એક નિવેદન આવ્યું છે.
પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો એક ગંભીર મુદ્દો
ઈંધણના ભાવ ઓછા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકોને ઉચિત સ્તર પર છૂટક ઈંધણના ભાવમાં ઘટાડો કરવા માટે વાત કરવી જોઈએ.
સીતારામણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો એક ગંભીર મુદ્દો છે જેમાં ઈંધણના ભાવ ઓછા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકોને ઉચિત સ્તર પર છૂટક ઈંધણના ભાવમાં ઘટાડો કરવા માટે વાત કરવી જોઈએ. શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળી નથી. શનિવારે સતત 12 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
#WATCH: Finance Minister Nirmala Sitharaman speaks on fuel price hike, "It's a vexatious issue in which no answer except for fall in fuel price will convince anyone. Both Centre & State should talk to bring down retail fuel price at a reasonable level for consumers..." pic.twitter.com/28LGWNye7I
સરકાર ફક્ત જુમલાનો શોર મચાવે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના મુદ્દે સરકાર પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ફક્ત જુમલાનો શોર મચાવે છે. રાહુલે કહ્યં કે તેઓ જુમલાનો શોર મચાવે છે, અમે સચ્ચાઈનો આઈનો દેખાડીએ છીએ.