ન્યૂ દિલ્હીઃ નિર્ધારણ વર્ષ 2018-19માં દાખલ થનાર આયકર રિટર્ન (ITR)માં ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધી 50 ટકા વૃદ્ધિ દાખલ કરવામાં આવી છે. નાણાં મંત્રાલયનાં એક ઉચ્ચ અધિકારીએ મંગળવારનાં રોજ આ જાણકારી આપી છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)નાં ચેરમેન સુશીલ ચંદ્રાએ સીઆઇઆઇનાં એક કાર્યક્રમથી ઇતર આ જાણકારી આપતા કહ્યું "આ નોટબંધીની અસર છે." તેઓએ કહ્યું કે નોટબંધી દેશમાં કરનો વિસ્તાર વધારવા માટે વધારે સારી રહી છે. આ વર્ષે આપણને અત્યાર સુધી અંદાજે 6.08 કરોડ આઇટીઆર મળી ચૂકેલ છે કે જે ગયા વર્ષની આ તિથિ સુધી મળેલ ITRથી 50 ટકા વધારે છે.
રિટર્ન નહીં ભરનાર અથવા ભૂલ કરનાર 2 કરોડ લોકોને નોટિસઃ
ચંદ્રાએ કહ્યું કે "મહેસૂલ વિભાગ ચાલુ નાણાંકીય વર્ષમાં 11.5 લાખ કરોડ રૂપિયાનો પ્રત્યક્ષ કર સંગ્રહનું લક્ષ્ય હાંસલ કરી લેશે. ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ ગ્રોથ રેટ 16.5% અને નેટ ડાયરેક્ટ ટેક્સ ગ્રોથ રેટ 14.5% છે. આનાંથી માલૂમ થાય છે કે નોટબંધીથી ટેક્સ બેસ વધારવામાં મદદ મળી."
ચંદ્રાએ કહ્યું કે "કોર્પોરેટ કરદાતાઓની સંખ્યા આ વર્ષે 8 લાખ થઇ ગઇ છે. ગયા વર્ષે આ 7 લાખ દાખલ કરાઇ હતી. સીબીડીટીએ 2 કરોડ આવાં લોકોને એસએમએસથી સૂચના આપી છે કે જેઓએ કાં તો રિટર્ન નહીં ભર્યું અથવા તો રિટર્નમાં આપવામાં આવેલ જાણકારીથી તેઓની ઉંમર નથી મળતી."
સીબીડીટીનાં ચેરમેને કહ્યું કે દુનિયાનાં 70 દેશ ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફર્મેશન અંતર્ગત ભારતનો સાથ સૂચનાઓ શેર કરી રહેલ છે. ચંદ્રાએ જાણકારી આપી કે બોર્ડ જલ્દી ઇ-પેનની સુવિધા શરૂ કરશે. આવું થવાંથી લોકોને માત્ર 4 કલાકમાં જ સ્થાયી ખાતા નંબર (પૈન) જારી કરવામાં આવશે.