અહીં અમે તમને પાંચ એવા જરૂરી કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને આ મહિનામાં પુરા કરવા તમારા માટે ખૂબ જરૂરી છે.
નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો
પુરા કરી લેજો આ મહત્વના કામ
નહીં તો બાદમાં થશે મોટુ નુકસાન
માર્ચ ફક્ત મહિનો ફક્ત નાણાકીય વર્ષનો અંત નથી. પરંતુ ઘણા મહત્વપૂર્ણ પૈસા સાથે જોડાયેલી ડેડલાઈન છે જેને તમારે 31 માર્ચ પહેલા પુરી કરવી જરૂરી છે. આ મહિને સંશોધિત ઈનકમ ટેક્સ રિટર્ન, પાન-આધાર લિંક, બેન્ક ખાતામાં કેવાઈસી વગેરે દાખલ કરવાની છેલ્લી તારીખ છે.
માટે એક કમાણી કરનાર લોકોને સલાહ આપવામાં આવે છે કે તે આ સમય મર્યાદા પર નજર રાખે અને ડેડલાઈન પહેલા તેને જરૂર પુરૂ કરી લે. નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે. અમે તમને પાંચ એવા જરૂરી કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને પુરા કરવા તમારા માટે જરૂરી છે.
આધાર-પાન લિંક કરાવવું જરૂરી
પાન-કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે આ બન્ને મુખ્ય દસ્તાવેજ લિંક નહીં કરાવ્યા તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. સરકારે 31 માર્ચ 2022એ ડેડલાઈન નક્કી કરી છે. 31 માર્ચ સુધી આધાર અને પાન લિંક નહીં કરાવ્યું તો ઈનકમ ટેક્સ એક્ટની કલમ 272B હેઠળ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
લેટ કે રિવાઈઝ્ડ રિટર્ન કરો ફાઈલ
ફાઈનાન્સિયલ યર 2021-22 માટે લેટ ITR દાખલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે. માટે જે કમાણી કરનાર આપવામાં આવેલી તારીખ સુધી પોતાનું ITR દાખલ કરવાથી ચુકી ગયા તેમને સલાહ આપવામાં આવે છે કે તે ITR દાખલ કરવા માટે આપવામાં આવેલી છેલ્લી તારીખ સુધી પોતાનું આવક વેરા રિટર્ન દાખલ કરે.
આ રીતે નાણાકીય વર્ષ 2020-21 માટે લેટ અથવા સંશોધિત આઈટીઆર દાખલ કરવાની સમય મર્યાદા 31 માર્ચ 2021 છે. જો કોઈ કમાણી કરનાર વ્યક્તિએ લેટ આઈટીઆર ઈ-ફાઈલ કર્યું છે તો તે 31 માર્ચ 2022 સુધી અથવા તેના પહેલા તેને રિવાઈઝ કરી શકે છે.
બેન્ક ખાતામાં KYC અપડેટ
RBIએ ડિસેમ્બરમાં KYC અપડેટની સમય મર્યાદાને લઈને 31 માર્ચ 2022 સુધી કરી દીધી છે. સમય મર્યાદામાં અપડેટ ન કરાવવા પર બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. જણાવી દઈએ કે કેવાઈસીની જરૂર ફર્ત બેન્કિંગમાં જ નહીં પરંતુ પૈસાની લેવડદેવડ અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલી સેવાઓમાં પડે છે.
ટેક્સ સેવિંગ રોકાણ
એક કમાણી કરનાર ઈન્ડિવિઝ્યુઅળ માટે ટેક્સ સેવિંગ કામને પુરૂ કરવા માટે ફક્ત એક મહિનાનો સમય બચ્યો છે. ટેક્સ બચાવવા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા જમા કરી દો.
ધ્યાન રાખો કે જો તમે બચત કરવામાં અસરમર્થ છો તો તમે અમુક પૈસા જેવા કે બાળકોની ફી, હોમ લોન પર મુળધનનું પુનર્ભુગતાન વગેરે ઈનકમ ટેક્સપેયર્સને ટેક્સ લાભ આપી શકો છો.
એડવાન્સ ટેક્સ ઈન્સ્ટોલમેન્ટ
ઈનકમ ટેક્સ એક્ટની કલમ 208 અનુસાર, દરેક ટેક્સપેયર્સ જેની પરવાનગી ટેક્સ લાયાબિલિટી 10,000 રૂપિયાથી વધુ છે. તે એડવાન્સ ટેક્સની ચુકવણી કરી શકે છે. જેની ચુકવણી ચાર હપ્તામાં કરી શકાય. દરેક નાણાકીય વર્ષમાં પહેલો હપ્તાની સમય મર્યાદા 15 જૂન, બીજી 15 સપ્ટેમ્બર, ત્રીજી 15 ડિસેમ્બર અને ચોથી 15 માર્ચે છે.
માટે ટેક્સપેયર્સ જેમણે ગયા ત્રણ મહિનામાં પહેલા મહિનાના હપ્તા દાખલ કર્યા છે. તેમને સલાહ આપવામાં આવે છે કે એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો દાખલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2022 છે.