નાણાંકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 છે. જે લોકો 31 ડિસેમ્બર, 2021 સુધીમાં આઈટીઆર ફાઈલ કરવાનુ ચૂકી ગયા છે, તેવા લોકો માટે 31 માર્ચ 2022 સુધી રિટર્ન ભરવાની તક છે.
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022
ITR ફાઈલ કરવાનુ ચૂકી ગયા છે તે આ તારીખ સુધી ફાઈલ કરી શકશે
જો તમે ITR ફાઈલ કરતા નથી તો મહત્તમ 7 વર્ષની સુધીની જેલની થશે સજા
ટેક્સ વ્યાજની સાથે આપવો પડશે દંડ
જો કે નિર્ધારિત તારીખ બાદ આઈટીઆર ફાઈલ કરશો તો દંડ ભરવો પડશે. જે કરદાતાના ટેક્સ સ્લેબ પર નિર્ભર રહેશે. જો કે, એક ટેક્સની જવાબદારી હોવા છતા એક કરદાતા અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઈલ કરતા નથી તો તેને ન્યુનત્તમ 3 વર્ષ અને મહત્તમ 7 વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈના ટેક્સ અને ઈન્વેસ્ટમન્ટ નિષ્ણાંતે કહ્યું, અંતિમ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ ઈન્કમ ટેક્સ, ડિપાર્ટમેન્ટ ટેક્સ અને વ્યાજ સિવાય કરદાતાની વાસ્તવિક ટેક્સની જવાબદારી પર 50 થી 200 ટકા સુધીનો દંડ ફટકારી શકાય છે. જો કોઈ કરદાતા ટેક્સની જવાબદારી છતાં આઈટીઆર દાખલ કરતુ નથી તો કેન્દ્ર સરકારની પાસે કરદાતાની સામે કેસ ચલાવવાનો અધિકાર છે.
10 હજારથી વધુ ટેક્સ ચૂકવણી પર ચાલશે કેસ
આવકવેરા કાયદામાં કેસ ચલાવવા સાથે જોડાયેલા નિયમોના સંબંધમાં ટેક્સ નિષ્ણાંતે કહ્યું, આવકવેરા કાયદામાં ન્યુનત્તમ ત્રણ વર્ષ અને મહત્તમ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એવુ નથી કે ડિપાર્ટમેન્ટ આઈટીઆર ના ભરવાના મામલામાં કેસ ચલાવી શકે છે. આવા કેસમાં ટેક્સ વિભાગ ત્યાં સુધી કેસ ચલાવી શકે છે, જ્યાં સુધી ટેક્સની રકમ 10,000 રૂપિયાથી વધુ હોય.