આવકવેરા રિટર્નની પ્રક્રિયા પૂરી કરવા માટે આઈટીઆર દાખલ કર્યા બાદ તમારે ઈ-વેરિફાઈ કરવુ જરૂરી છે. જો નક્કી થયેલ સમયમાં ITR વેરિફાઈ ના કરવામાં આવે તો તેને ઈનવેલિડ માનવામાં આવે છે.
શું તમે આવકવેરા રિટર્ન ભર્યુ નથી?
સરકારે જાહેર કરી નવી ડેડલાઈન
હવે તમે 31 ડિસેમ્બર સુધી લેટ ફીની સાથે ટેક્સ ભરી શકશો
31 ડિસેમ્બર સુધી લેટ ફીની સાથે આવક વેરો ભરી શકો છો
જો તમે અત્યાર સુધી આવકવેરા રિટર્ન ભર્યુ નથી તો તમે 31 ડિસેમ્બર સુધી લેટ ફીની સાથે આવક વેરો ભરી શકો છો. આવક વેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. મહત્વનું છે કે નાણાંકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ભરવાની શરૂઆત 15 જૂન 2022થી થઇ હતી. જે 31 જુલાઈએ સમાપ્ત થઇ. આ સાથે સરકારે આવકવેરો ભરવાને લઇને મોટી જાહેરાત કરી.
સરકારે જણાવી ડેડલાઈન
ખરેખર, છેલ્લાં બે વર્ષોની જેમ આ વખતે પણ ટેક્સ ફાઈલિંગ માટે અંતિમ તારીખ વધારવાની આશા સેવાઈ રહી હતી. પરંતુ હવે સરકારે તેને ન વધારી. જો તમે ડેડલાઈન પહેલા આવકવેરો ના ભર્યો તો તમારે દંડ ભરવો પડશે. બીજી તરફ જે લોકોને ઑડિટની જરૂર હોય છે તેના માટે આવક વેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2022 છે. એટલેકે આવા લોકોને 31 ઓક્ટોબર પહેલા ટેક્સ ભરવો જરૂરી છે.
31 ઓક્ટોબર પહેલા ભરો રિટર્ન
ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે કોઈ લેટ ફી વગર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 હતી. જ્યારે લેટ ફીની સાથે ટેક્સ ભરવાની ડેડલાઈન 31 ડિસેમ્બર છે. એટલેકે હવે તમારે ઈન્કમ ટેક્સની સેક્શન 234A અને અંડર સેક્શન 234F હેઠળ તમારે પેનલ્ટીની સાથે ટેક્સ પર વ્યાજ પણ આપવુ પડશે.
વિભાગે જાહેર કર્યો નવો નિયમ
આ સાથે વિભાગે એક નવો નિયમ પણ જાહેર કર્યો છે. જે મુજબ 1 ઓગષ્ટ અથવા ત્યારબાદ તમારું આવક વેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતા પર આ નિયમ લાગુ કરવામાં આવ્યાં છે. સીબીડીટીના નવા નોટીફિકેશન મુજબ હવે ઈલેક્ટ્રોનિક રીતે રિટર્ન પ્રસ્તુત કરવાની તારીખ એ જ માનવામાં આવશે. જ્યારે ફોર્મ આઈટીઆર-વી ઈલેક્ટ્રોનિક રીતે ડેટા ટ્રાન્સમિટ કરવાની તારીખના 30 દિવસની અંદર જમા કરવામાં આવશે.