નાણાકીય વર્ષ 2022-23 માટે 31મી ડિસેમ્બર 2022 સુધી મોડું રિટર્ન ફાઇલ કરવાનું હતું, જોકે કેટલાક કરદાતાઓ એવા છે જે હજુ પણ દંડ વિના રિટર્ન ફાઈલ કરી શકે છે.
કેટલાક કરદાતાઓ હજુ પણ દંડ વિના રિટર્ન ફાઈલ કરી શકે છે
જેમના ખાતાઓનું ઓડિટ બાકી છે તેઓ દંડ વિના રિટર્ન ફાઈલ કરી શકે છે
કલમ 5Aની જોગવાઈઓ લાગુ પડે છે તેવા ભાગીદારોને પણ 31 ઓક્ટોબર સુધી રિટર્ન ફાઈલ કરી શકે
દેશમાં નાણાકીય વર્ષ પગારદાર વ્યક્તિઓ અને HUF માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. આ પછી રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ભરવી પડશે. મોડેથી ITR ફાઈલ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234F હેઠળ 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. બીજી તરફ, જો કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો દંડની રકમ 1000 રૂપિયા છે.
આકારણી વર્ષ 2022-23 (નાણાકીય વર્ષ 2021-22) માટે 31મી ડિસેમ્બર 2022 સુધી મોડું રિટર્ન ફાઇલ કરી શકાય છે. જોકે, કેટલાક કરદાતાઓ એવા છે જે હજુ પણ દંડ વિના રિટર્ન ફાઈલ કરી શકે છે.
આવકવેરા વિભાગની વેબસાઈડમાં શું દર્શાવાયું ?
વિગતો મુજબ જેમના ખાતાઓનું ઓડિટ થવાનું છે તેઓ 31 ઓક્ટોબર 2022 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે. આવકવેરા વિભાગની વેબસાઈટ મુજબ જો કોઈ કોર્પોરેટ-આકારણી અથવા બિન-કોર્પોરેટ આકારણી કે જેના ખાતાઓનું ઓડિટ થવાનું છે, તેણે નાણાકીય વર્ષ 2021-22માં કોઈ આંતરરાષ્ટ્રીય અથવા ચોક્કસ સ્થાનિક વ્યવહારો કર્યા નથી, તો તેઓ 31 ઓકટોબર 2022 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે.
આ સાથે કોઈ ફર્મના ભાગીદારો કે જેમના ખાતાઓનું ઓડિટ થવાનું છે અથવા જેમને કલમ 5A ની જોગવાઈઓ લાગુ પડે છે તેવા ભાગીદારો માટે રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ 31 ઓક્ટોબર 2022 છે. કલમ 5A એવી વ્યક્તિઓને લાગુ પડે છે જેઓ પોર્ટુગીઝ સિવિલ કોડ હેઠળ આવરી લેવામાં આવે છે અને આ કોડ માત્ર ગોવા, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં જ લાગુ પડે છે.
ITR ફાઇલ કરતી વખતે શું ધ્યાન રાખવું પડશે ?
રિફંડમાં કોઈ સમસ્યા નથી તેની ખાતરી કરવા માટે, બેંક ખાતાની સાચી વિગતો ભરો અને તે પૂર્વ-માન્યતા હોવી જોઈએ
ફોર્મ 25AS, AIC/TIS ને જોડવાનું સુનિશ્ચિત કરો
કોઈપણ ક્વેરી ફોરવર્ડ નુકશાન માટે પાછલા વર્ષનું ITR ફોર્મ તપાસો
જૂની અને નવી કર પ્રણાલી વચ્ચે તમારા કેસમાં શું સારું છે તેની સરખામણી કરવાની ખાતરી કરો
ITR ફાઇલ કર્યા પછી તેને 120 દિવસની અંદર ઇ-વેરિફાઇડ કરવું આવશ્યક છે કારણ કે અન્યથા ફાઇલિંગ માન્ય નથી
તમારી આવક અનુસાર યોગ્ય ITR ફોર્મ પસંદ કરો જેથી કરીને તમને ખોટા રિટર્નની સૂચના ન મળે
31 જુલાઈ પછી 13 લાખ રિટર્ન ફાઈલ થયા
નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. આજ દિન સુધી લગભગ 5.83 કરોડ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. જોકે 31 જુલાઈ પછી પણ ઘણા ITR ફાઈલ કરવામાં આવ્યા છે. ઈન્કમ ટેક્સ વેબસાઈટના ડેટા અનુસાર 15 ઓગસ્ટ સુધી 5.96 કરોડ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે એટલે કે, 31 જુલાઈ પછી 13 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
આ સાથે 15 ઓગસ્ટ સુધી 4.72 કરોડથી વધુ રિટર્ન કરદાતાઓનું પણ વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને ટેક્સ વિભાગે 3.9 કરોડ વેરિફાઇડ ITR પર પ્રક્રિયા કરી છે. મહત્વનું છે કે, ITR ફાઇલ કર્યા પછી તેની ચકાસણી કરવી ફરજિયાત છે. ટેક્સ વિભાગ આ ચકાસાયેલ ITR પર પ્રક્રિયા કરે છે અને પછી સૂચના નોટિસ અને આવકવેરા રિફંડ (જો પરિસ્થિતિ ઊભી થાય) જાહેર કરે છે.