રાજ્યના આઈટીઆઈના આચાર્યનો બે દિવસનો વર્કશોપ યોજાયો છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યની 3 ઔધોગિક તાલીમ સંસ્થા(ITI)ને પારિતોષીક એનાયત કર્યો છે.
રાજ્યના આઈટીઆઈના આચાર્યનો બે દિવસનો વર્કશોપ યોજાયો
રાજ્યની 3 ઔધોગિક તાલીમ સંસ્થાને પારિતોષીક એનાયત
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પારિતોષીત એનાયત કર્યો
ITI પાલનપુરને 11 લાખનું પારિતોષીક, ITI બીલીમોરને 9 લાખનું પારિતોષીક અને ITI ઉત્તરસંડાને 5 લાખનું પારિતોષીક એનાયત કરાયો છે. ગાંધીનગર ખાતે આવેલા વન સંશોધન તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
વિચારોની આપ-લે કરાઈ
પારિતોષિક નક્કી કરવામાં ૩૦ પ્રકારના માપદંડ માપવા કમિટી હોય છે. ભારતભરમાં ગુજરાત જ એવું છે જ્યાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામાં યોગદાન અપાય છે. 1132 કર્મચારીઓની ઓનલાઈન બદલી કરી જેના કારણે ૨ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં બચાવ્યા છે.
ITIના કર્મચારીઓની બદલીને લઇને કરાયો આભાર વ્યક્ત
ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળના હોદેદારો દ્વારા ગુજરાત રાજ્યની ITIના કર્મચારીઓની પારદર્શક અને ન્યાયિક બદલી કરવા બદલ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારના મંત્રી બ્રિજેશકુમાર મેરજા, વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા અને રોજગાર અને તાલીમ વિભાગના નિયામક લલિત નારાયણસિંઘ સાહેબ તથા મહેકમ શાખાના અધિકારીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.