વાઇ.સી દેવેશ્વર ભારકની લીડિંગ પ્રાઇવેટ કંપનીઓમાંશુમાર આઇટીસીના સૌથી લાંબા સમય સુધી ચેરમેન રહેનાર વ્યક્તિ હતા. આઇટીસીની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે, વાઇ.સી. દેવેશ્વર 11 એપ્રિલ 1984એ બૉર્ડ ઑફ કંપનીના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 જાન્યુઆરી 1996માં એ બૉર્ડના ચેરમેન અને ચીફ એક્ઝીક્યૂટિવ બનાવવામાં આવ્યા.
જાણીતા ઉદ્યોગપતિ અને આઇટીસી ચેરમેન વાઇ.સી દેવેશ્વરનું 72 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. શનિવારે સવારે દેવેશ્વરે ગુરુગ્રામની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
વાઇ.સી.દેવેશ્વર ભારતની લીડિંગ પ્રાઇવેટ કંપનીઓમાં શુમાર ઇન્ડિયન ટોબેકો કંપનાના સૌથી લાંબા સમય સુધી ચેરમેન રહેનાર વ્યક્તિ હતા. આઇટીસીની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે, વાઇ.સી. દેવેશ્વર 11 એપ્રિલ 1984એ બૉર્ડ ઑફ કંપનીના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 જાન્યુઆરી 1996માં એ બૉર્ડના ચેરમેન અને ચીફ એક્ઝીક્યૂટિવ બનાવવામાં આવ્યા.
આઇઆઇટી દિલ્હીથી એન્જીનિયરિંગ કરનાર વાઇ.સી.દેવેશ્વરે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી અભ્યાસ કર્યો હતો. દેવેશ્વરે 1968માં આઇટીસી કંપની જોઇન કરી હતી. આ વચ્ચે 1991થી લઇને 1994 સુધી એ વિમાન કંપની એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંદ ડાયરેક્ટર પણ રહ્યા. ત્યારબાદ 1996માં એ આઇટીસીના ચેરમેન બની ગયા.
2011માં વાઇસી દેવેશ્વરને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત એમને યૂએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલની તરફથી ગ્લોબલ લીડરશિપ અવોર્ડ મળ્યો. 2012માં વાઇસી દેવેશ્વર લીડર ઑફ ધ યર બન્યા.