ટનલમાં 3 મજૂરો બેભાન અવસ્થામાં મળ્યાં હતા જેમને બહાર કાઢીને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં
નંદાદેવી ગ્લેશિયર તૂટી પડતા ઘોડાપૂર આવ્યું હતું અને તેને કારણે તપોવન ટનલ કાદવ કિચડ, બરફ અને પાણીથી ભરાઈ જતા ત્યાં કામ કરતા 16 મજૂરો ફસાયા હતા. ફસાયેલા મજૂરોને બચાવવા માટે આર્મી અને આઈટીબીપીએ બચાવ અભિયાન હાથ ધર્યું હતું.
આઈટીબીપીના પીઆરઓએ જણાવ્યું કે ટનલમાં કેટલાક મજૂરોના મોબાઈલના ટાવર મળી રહ્યાં હતા અને આને કારણે તેમનું લોકેશન મળ્યું હતું અને તેમને બચાવી શકાયા હતા.
તેમણે કહ્યું કે બચાવ અભિયાન માટે એક ચિનૂક હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. ટનલમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં બાદ મજૂરોએ જય હો બદ્રી વિશાલના નારા લગાવ્યા હતા. ટનલમાં 3 મજૂરો બેભાન અવસ્થામાં મળ્યાં હતા જેમને બહાર કાઢીને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતા.
ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તબાહ
ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટમાં કામ કરતા 150 લોકો ગુમ થવા હોવાની આશંકા છે. પૂરના પાણીમાં આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સંપૂર્ણરીતે ધોવાઈ ગયો છે. નંદાદેવી નેશનલ પાર્કમાંથી વહેતી ઋષિગંગાના ઉપરના પાણીગ્રહણ વિસ્તારમાં ગ્લેશિયર તૂટતા ઘોડાપુર આવ્યું હતું અને તેને કારણે ઘોળગંગા ઘાટી અને અલકનંદા ઘાટીમાં નદીએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. તેને કારણે ખાનગી કંપનીની ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે.
Rescue operation underway at the tunnel near Tapovan dam in Chamoli to rescue trapped people. #Uttarakhand
મૃતકના પરિજનો માટે 4-4 લાખનું વળતર
ઉત્તરાખંડ સરકારે ગ્લેશિયર હોનારતમાં મોતને ભેટેલા લોકોના પ્રત્યેક પરિવારને રુ.4-4 લાખના તથા ઘાયલો માટે રુ. 50,000 ના વળતરની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિજનોને 2-2 લાખની તથા ઘાયલો માટે 50,000 ના વળતરની જાહેરાત કરી છે.
7 મજૂરોની લાશ મળી
તપોવનમાં એનટીપીસીના પાવર પ્રોજેક્ટમાં 176 લોકો કામ કરી રહ્યાં હતા, અત્યાર સુધીમાં 7 લોકોની લાશ મળી છે. પોલીસના 2 જવાન પણ ગુમ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
શું બની ઘટના?
ઉત્તરાખંડમાં ફરી એક વાર કુદરતી કોપ સર્જાયો છે. રાજ્યના ચમોલીના રેણી ગામ નજીક એક મહાકાય ગ્લેશિયર(હિમશીલા) તૂટી પડતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. હિમશીલા તૂટી પડવાને કારણે ચમોલીના જોશીમઠ વિસ્તારની ધોળીગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સૌથી વધારે તબાહી ઋષિગંગા પાવર પ્રોજેક્ટની થઈ હતી.પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 100-150 લોકો લાપત્તા થયા છે તથા અત્યાર સુધી 10 લોકોની લાશ મળી આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.