ભારત-તિબ્બેટ સરહદ પોલીસે ગુરુવારે ચંદીગઢ અને ગુવાહાટીમાં બે નવા કમાન્ડ મુખ્યાલય ખોલવાનો આદેશ આપ્યો છે. ચંદીગઢમાં મુખ્યાલયની કમાન આજી રેંકના અધિકારી પાસે રહેશે જે વધારાના મહાનિદેશ (ADG) તરીકે કામ કરશે. તેઓની પાસે લદ્દાખની જવાબદારી રહેશે. ગુવાહાટી મુખ્યાલય પૂર્વોત્તર સરહદની જવાબદારી સંભાળશે.
ઉલ્લેખનીય છે ઓક્ટોબરમાં કેન્દ્રિય કેબિનેટમાં બે નવા કમાંડ મુખ્યાલય ખોલવા અંગેની મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇને બે ADG સહિત 60 નવા પદ ઉભા કરવામાં આવ્યાં હતા.
ITBP ના મહાનિદેશ એસએસ દેસવાલે જાહેર કરેલા આદેશ મુજબ સરકારની મંજૂરી પછી આ બંને નવા કમાંડ મુખ્યાલયમાં ઝડપથી કામ શરૂ કરવાની જરૂરીયાત છે.
જેને લઇને ITBP મુખ્યાલયમાં તૈનાત IG મનોજસિંહ રાવત (ઓપરેશન, ઇન્ટેલીજેન્સ)ને તાત્કાલિક પ્રભાવથી ADG ચંદીગઢ કમાંડ મુખ્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોતાની જૂની જવાબદારી પણ સંભાળતા રહેશે. ITBP મુખ્યત્વે ચીન સાથેની 3,400 કિલોમીટરની લાઇન ઓફ કંટ્રોલની દેખરેખ રાખે છે.
છેલ્લા એક મહિનાથી પૂર્વી લદ્દાખ સેકટરમાં ચાલી રહેલા સરહદ પરના વિવાદ વચ્ચે પ્રથમ વખત ચીનના સૈનિકોએ પાછા ફરેલા જોવા મળી રહ્યાં છે.. છેલ્લા એક મહિનાથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LaC) પર આક્રમક વલણ અપનાવી રહેલી ચીનની પીપૂલ્સ લિબરેશન આર્મીએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ મોટી કાર્યવાહી કરી નથી.
એક મહિનાથી ચાલી રહ્યો છે વિવાદ
લદ્દાખમાં 5 મે અને સિક્કિમ સરહદ પર 9 મે ના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. ત્યારબાદથી લદ્દાખમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બંને દેશોએ LaC પર સૈનિકની તૈનાતી વધારી દીધી છે. વિવાદના સમાધાનને લઇને બંને દેશો વવચ્ચે અલગ-અલગ સ્તર પર અંદાજે એક ડઝનથી વધારે વાતચીત થઇ ચુકી છે. આ દરમિયાન ચીનની વાયુસેના દ્વારા લદ્દાખના આસપાસ યુદ્ધક વિમાન ઉડાવાનો મુદ્દો પણ ઉઠાવામાં આવ્યો.