AAP નેતા ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કતારગામમાં ધીમી ગતિએ મતદાન કરાવી રહ્યું છે
ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન
ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો
ચૂંટણી પંચ BJP સાથે મળી કતારગામમાં ધીમું મતદાન કરાવી રહ્યું છે:
રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું, પરંતુ કતારગામમાં માત્ર 1.41 મતદાન: ગોપાલ
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે, ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કતારગામમાં ધીમી ગતિએ મતદાન કરાવી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું.
શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ?
આ ટ્વીટમાં ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે, "કતારગામ વિધાનસભા સીટ પર ઈરાદાપૂર્વક મતદાનને ધીમુ કરવામાં આવી રહ્યું છે. જો ચૂંટણી પંચે માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં આ રીતે કામ કરવાનું હોય તો પછી તમે ચૂંટણી શા માટે કરો છો?" સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું છે, પરંતુ કતારગામમાં માત્ર 1.41 મતદાન થયું છે. નાના બાળકને હરાવવા આટલી હદે તો ન જાઓ.
कतारगाम AC मे जानबूझ कर वोटिंग स्लो कराया जा रहा है। @ECISVEEP इस तरीके से भाजपाई गुंडों के दबाव के ही काम करना है तो फिर चुनाव ही क्यो करवाते हो?
पुरे प्रदेश मे ओसत 3.5% मतदान हुआ है लेकिन कतारगाम मे सिर्फ 1.41 ही हो पाया है। एक छोटे से बच्चे को हराने के लिए इतना मत गीरो।
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ અને કતારગામથી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા 33 વર્ષીય ગોપાલ ઈટાલિયાએ ટૂંકી રાજકીય કારકિર્દીમાં લાંબી સફર કરી છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં શરૂ થયેલા પાટીદાર આંદોલનમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2013માં ઇટાલિયા ગુજરાતના પોલીસ એકમ લોકરક્ષક દળમાં હવાલદાર તરીકે જોડાયા હતા. બાદમાં 2014માં ગોપાલ ઈટાલિયાને ગુજરાત મહેસૂલ વિભાગમાં અમદાવાદ કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી મળી હતી.
ગોપાલ ઇટાલિયા અને વિવાદ
ગોપાલનો ઈટાલિયા સાથે વિવાદોનો લાંબો ઈતિહાસ છે. ગોપાલ ઇટાલિયાએ ત્યારે વિવાદ ઉભો કર્યો જ્યારે તેમણે જાહેર સેવક તરીકે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રાજ્યના દારૂબંધીના કાયદા અંગેની તેમની શંકાઓને દૂર કરવા પ્રશ્ન કર્યો. આ પછી 2014માં ગુજરાત પોલીસ એકમ લોકરક્ષક દળ છોડવા છતાં તેમણે પોતાને તેનો એક ભાગ કહેવાનું ચાલુ રાખ્યું જેના માટે ઇટાલિયા પર કેસ કરવામાં આવ્યો. તે એક પછી એક વિવાદમાં ફસાઈ ગયા. રાજ્યમાં ભ્રષ્ટાચારને ટાંકીને તેમણે વિધાનસભાની બહાર રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાને કારણે મહેસૂલ વિભાગ દ્વારા સેવા નિયમોના ભંગ બદલ તેમને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
મહત્વનું છે કે , ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ AAPએ ઇટાલિયાને ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ બનાવ્યા હતા પરંતુ ફેરફારો કર્યા પછી AAPએ તેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં AAPનો ચહેરો છે. ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં AAPએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતી હતી. તેઓ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAP વતી કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાનો મુકાબલો ભાજપના વિનોદ મોરાડિયા અને આઈએનસીના કલ્પેશ વરિયા સામે થશે.