ઇટાલીમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ઇટાલીમાં શુક્રવારનો રોજ કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત નિપજ્યાં છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં 250 લોકોના મોત નિપજ્યાં છે.
ઇટાલીમાં કોરોના વાયરસ બન્યો ખતરો
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 250 લોકોની મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2547 કેસ નોંધાયા
એક દિવસમાં મૃતકોની સંખ્યાં સૌથી વધુ
એક દિવસમાં ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા સૌથી મોટી છે. આ સાથે જ ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1266 થઇ ગઇ છે.
ઇટાલીમાં આ બિમારીથી કુલ 17,660 લોકો સંક્રમિત થયાં છે. કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા મામલે ગુરૂવારથી અત્યાર સુધીમાં 2547 લોકોનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ઇટાલીમાં કોરોના વાયરસનો કહેર સૌથી ઝડપથી વધી રહ્યો છે. ભારતના પણ કેટલાક લોકો ઇટાલીમાં ફસાયાં છે. જેની તપાસ માટે ભારતની એક મેડિકલ ટીમ શુક્રવારે ઇટાલી પહોંચી ગઇ છે. ઇટાલીમાં ભારતીય દૂતાવાસના જણાવ્યાં અનુસાર શંકાસ્પદોની તપાસ કરવામાં આવશે.
160000 ભારતીયો ઇટાલીમાં
ઇટાલીના સરકારી આંકડા મુજબ 1 લાખ 60 હજારથી વધારે ભારતીયો ત્યાં રહે છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ ઇટાલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકો સાથે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
ચીનના ડૉકટરો ઇટાલી પહોંચ્યાં
આ વચ્ચે કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે ચીની તબીબોની એક મેડીકલ ટીમ રોમ પહોંચી છે. ઇટાલીમાં રહેતા ચીનના રાજદૂતની સાથે ઇટાલીના આરોગ્ય મંત્રીએ મેડીકલ ટીમનું સ્વાગત કર્યું.