ભારતમાં કોરોના વાયરસનો વધુ 1 શંકાસ્પદ કેસ નોંધાયો છે. દેશમાં હાલ 2 કોરોના ગ્રસ્ત દર્દીઓ છે. અગાઉ 3 કેસ કેરળમાં નોંધાયા હતા. જેઓની સ્થિતિ સુધારા પર હોઈ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં 5 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જાણો, ભારત સરકારે આ વાયરસથી બચવા માટે શું પગલા લીધા છે.
કોરોના વાયરસ આખી દુનિયામાં ધીરે-ધીરે ફેલાઇ રહ્યો છે. ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના 2 પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક કેસ નવી દિલ્હીમાં જોવા મળ્યો છે. જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો છે. હાલ બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર બંનેની હાલત સ્થિર છે. ત્યારે આજે વધું એક નવો શંકાસ્પદ કેસ જયપુર રાજસ્થાનમાં નોંધાયો છે. એમ હાલમાં 2 નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં જે વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે જે ઈટલીનો પ્રવાસ કરીને આવ્યો હતો. જ્યારે તેલંગાણામાં જે વ્યક્તિ કોરોના ગ્રસ્ત છે તે દુબઈ પ્રવાસથી આવ્યો હતો. જ્યારે જયપુરમાં એક વ્યક્તિમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવામાં આવ્યાં છે તેમજ હાલ તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તે કોરોના ગ્રસ્ત છે કે કેમ તે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના વાયરસ માચે એક હેલ્પ લાઈન નંબર 011-23978046 જાહેર કર્યો છે. જેમાં 6300 ફોન આવ્યા છે. એટલું જ નહીં સરકારે એક ઈ-મેઈલ આઈડી [email protected] જાહેર કર્યુ છે. તેના પર અત્યાર સુધીમાં 900 જેટલા મેઈલ આવ્યાં છે. સરકારે ઈરાન, ઈટલી, દ. કોરિયા , અને સિંગાપુર ન જવા લોકોને સલાહ આપી છે. નોંધનીય છે કે 69 દેશોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે.