બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામાયણ, શિવ તાંડવના પાઠથી વિદેશી મહિલાઓએ CM યોગીને કર્યા મંત્રમુગ્ધ, જુઓ Video

મહાકુંભ 2025 / રામાયણ, શિવ તાંડવના પાઠથી વિદેશી મહિલાઓએ CM યોગીને કર્યા મંત્રમુગ્ધ, જુઓ Video

Last Updated: 12:21 PM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 જાન્યુઆરીથી પ્રાયગરાજમાં મહાકુંભ મેળાનું ભવ્યતિ ભવ્ય આયોજન થયું છે અને તેમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો રોજ આવે છે અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવે છે. ત્યારે આવનાર 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં આવતા ભક્તોમાંથી ઘણા આકર્ષણનું કેન્દ્ર બને છે. વિદેશથી આવતા લોકોને ખાસ હિન્દુ ધર્મનો આ જમાવડો આકર્ષિત કરે છે.

પ્રયાગરાજ અત્યારે સૌથી વધારે જાણીતું શહેર બની ગયું છે કારણકે ત્યાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળવડામાં દેશ વિદેશથી લાખો લોકો આવી રહ્યા છે. ખાસ કરીને વિદેશના લોકોને હિન્દુ સંસ્કૃતિ તરફનું માન તેમને આ તરફ ખેંચી લાવે છે.

italian woman up

તાજેતરમાં જ ઇટલીથી આવેલા એક પ્રતિનિધિ મંડળે ઉત્તરપ્રદેશમાં પ્રાયરાજમાં કુંભમેળાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ વિદેશથી આવેલી મહિલાઓએ ખાસ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકત કરી હતી. આ મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સામે રામાયણ અને શિવતાંડવ પ્રસ્તુત કર્યું હતું. અને તેમનો મીઠો સૂર સમભળીને ત્યાં બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

તમે પણ સાંભળી લો તેમના મીઠા અવાજમાં ગવાયેલા આ ભજનો

મહાકુંભ 2025

હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે, જેમાં દેશ-વિદેશથી લાખો લોકો ભાગ લે છે. આ મેળાનું આયોજન દર 12 વર્ષે ચાર સ્થળોએ થાય છે - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે.

મહાકુંભના નિયમો

  • મહાકુંભ મેળામાં ભાગ લેનારા ભક્તોએ સાદગી સાથે રહેવું જોઈએ.
  • મહાકુંભમાં સૌથી પહેલા સાધુ-સંતો સ્નાન કરશે અને ત્યાર બાદ જ સામાન્ય લોકો સ્નાન કરી શકે છે.
  • મહાકુંભ મેળામાં સ્નાન કરવાનો એક નિશ્ચિત સમય હોય છે, જેનું પાલન કરવું જરૂરી છે.
  • મહાકુંભ મેળામાં અહિંસા અને કરુણાના સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી છે.
  • મહાકુંભ મેળામાં માદક દ્રવ્યોના સેવન પર પ્રતિબંધ છે. ઉપરાંત, હિંસા અને ગુસ્સાનું પ્રદર્શન પ્રતિબંધિત છે.

વધુ વાંચો: અમદાવાદથી ડાયરેક્ટ પ્રયાગરાજ જતી ફ્લાઈટના ભાવમાં ઝીંકાયો તોતિંગ વધારો, ભાડું સાંભળીને ચોંકી જશો

મહાકુંભ મેળાનું ઐતિહાસિક મહત્ત્વ

માન્યતા અનુસાર મહાકુંભ મેળાને સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, એકવાર ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નબળા પડી ગયા હતા. આનો લાભ લઈને દાનવોએ દેવતાઓ પર હુમલો કરી દીધો હતો અને આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો હતો. પછી બધા દેવતાઓ મળીને ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા અને તેમને આખી વાત કહી. ભગવાન વિષ્ણુએ દાનવો સાથે મળીને તેમને સમુદ્ર મંથન કરીને ત્યાંથી અમૃત મેળવવાની સલાહ આપી.જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ નીકળ્યો, ત્યારે ભગવાન ઇન્દ્રના પુત્ર જયંત તેને લઈને આકાશમાં ઉડી ગયા. આ બધું જોઈને દાનવો પણ અમૃતનો કળશ લેવા જયંતની પાછળ ભાગ્યા અને ઘણા પ્રયત્નો પછી દાનવોના હાથમાં અમૃતનો કળશ આવ્યો. આ પછી, અમૃત કળશ પર પોતાનો અધિકાર જમાવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશથી કેટલાક ટીપાં હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિકમાં પડ્યા હતા, તેથી આ ચાર સ્થળોએ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Italy Women Mahakumbh 2025 Up CM Yogi Adityanath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ