દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર વચ્ચે અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. થોડો દિવસ પહેલા નોંધાયેલો વિદ્યાર્થીનો શંકાસ્પદ કેસ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઇટાલીથી પરત આવેલા વિદ્યાર્થીના કેસ શંકાસ્પદ હતો જેથી તેને આઇસોલેશન વોર્ડમાં રખાયો હતો પરંતુ તપાસ બાદ તેનો કેસ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો થયો છે
કોરોના સામે તંત્ર સજ્જ, અમરેલી વહીવટી તંત્ર સજ્જ
એક પણ કોરોનાનો કેસ નહીં, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
પીપાવાવ પોર્ટ પર સઘન ચેકિંગ, ડોક્ટરોની ટીમ ખડેપગે
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની વ્યાપક અસર છે ત્યારે અમરેલીમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર સજ્જ છે થોડા દિવસ પહેલાં જ છે આવેલા એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોરોના હોવાના કારણે અમરેલીના સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો લીધો હતો.
આજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો લીધો
અમરેલી જિલ્લાના વહીવટી અને આરોગ્ય તંત્રએ કોરોના વાઈરસને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ઈટાલીથી આવેલ એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોરોના જણાતા અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે આઈએસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો આજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો લીધો છે.
સ્વાઇન ફ્લૂની અસર હોવાનો રિપોર્ટ
આ વિદ્યાર્થીને સ્વાઇન ફ્લૂની અસર હોવાનો રિપોર્ટ માં જણાવવામાં આવ્યું હોવાથી તેમને સ્વાઇન ફ્લૂની સારવાર હાલ તો ચાલુ છે.
પિપાવાવ પોર્ટ ઉપર વિદેશીઓનું કરાઈ રહ્યુ છે સ્કેનિંગ
જિલ્લા માં આવેલ પીપાવાવ પોર્ટ પર પણ વિદેશથી આવી રહેલી સ્ટીમબરોમાં આવતાં વિદેશીઓ ને પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ડોક્ટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામાં આવી છે જે માહિતી અમરેલી કલેક્ટરે આપી હતી